Wednesday, October 17, 2012

મેઘાણીની ચારણ કન્યાનો પાકિસ્તાની અવતાર: મલાલા યૂસુફઝઈ




ગળથૂથી
જંગલી શબ્દનો ગાળ તરીકે ઉપયોગ, એ માણસજાતની હલકાઇમાંથી ઉદ્‌ભવેલો છે બાકી જંગલી પશુ દ્વારા કરાતી હિંસા એ માત્ર એક ટંકના ભોજન માટે હોય છે, કુદરતના નિયમ મુજબ હોય છે, ધર્મના નામે નહીં! બર્બરતા એ તો માત્ર માણસજાતનો ઈજારો છે.

શનિવાર, જાન્યુઆરી.
             ગઈકાલે રાત્રે મને મિલીટરી હેલિકોપ્ટર અને તાલિબાનનું બહુજ ડરામણું સપનું આવ્યું. જ્યારથી સ્વાતઘાટીમાં મિલીટરી ઓપરેશન શરૂ થયું છે ત્યારથી આવાં દુ:સ્વપ્નો રોજીંદી ઘટના છે. મારી અમ્મીએ મને નાસ્તો કરાવ્યો અને પછી હું સ્કૂલે જવા નીકળી. મને સ્કૂલે જવામાં ડર લાગતો હતો કારણકે તાલિબાને છોકરીઓને સ્કૂલે જવા ઉપર પ્રતિબંધ જાહેર કરતો ફતવો જારી કર્યો હતો. ફતવાની અસરથી આજે સ્કૂલમાં ૨૭માંથી માત્ર ૧૧ સ્ટુડન્ટ્સ આવી હતી. મારી ત્રણ બહેનપણીઓ ફતવા પછી પેશાવર, લાહોર અને રાવલપીંડી એનાં સગાં ને ત્યાં જતી રહી છે. મારા સ્કૂલ જવાના રસ્તા પર એક માણસનો મને ધમકીભર્યો અવાજ સંભળાય છે કેહુ તને મારી નાખીશ!” હું ચાલવાની ઝડપ વધારું છું અને પાછળ નજર કરૂં છું તો માણસ હજુ મારી પાછળ આવતો દેખાય છે.

રવિવાર, જાન્યુઆરી.
             આજે રજાનો દિવસ હોઇ, હું મોડી ૧૦ વાગ્યાની આસપાસ જાગી છું. પથારીમાં પડ્યાં પડ્યા  હું મારા અબ્બુને કોઇને કહેતા સાંભળું છું કે ત્યાં ગ્રીનચોક ક્રોસીંગ પાસે વધુ ત્રણ મૃતદેહ પડેલા છે. મિલીટરીએ ઓપરેશન ચાલુ કર્યું પહેલાં અમે લોકો દર રવિવારે પિકનીક પર જતા પણ હવે છેલ્લા દોઢ વર્ષથી શક્ય નહોતું બન્યું. સામાન્ય રીતે અમે સાંજના ખાણાં પછી થોડું ચાલવા જતાં પણ હવે સૂર્યાસ્ત પહેલાં તો ઘરમાં ઘુસી જવું પડે છે. મેં ઘરનું કેટલુંક કામ અને લેસન પતાવ્યું ને પછી મારા ભાઈ સાથે રમવા લાગી પણ આવતી કાલે સ્કૂલે જવાના વિચારે મારું દિલ જોરથી ધડકતું હતું.

સોમવાર, જાન્યુઆરી.
             હું સ્કૂલે જવા માટે તૈયાર થઇ રહી હતી, યુનિફોર્મ પહેરવા જતી હતી ત્યાં યાદ આવ્યું કે પ્રિન્સીપાલે અમને હમણાં સ્કૂલયુનિફોર્મ પહેરવાની ના પાડી છે. એમના કહેવા મુજબ રોજીંદા પોષાકમાં સ્કૂલે આવવાનું હતું, એટલે મેં મારો મનપસંદ ગુલાબી ડ્રેસ પહેર્યો છે અને મારી બીજી બહેનપણીઓ પણ રંગબેરંગી પોષાકમાં છે એટલે સ્કૂલ, સ્કૂલ ઓછી અને ઘર જેવી વધારે લાગે છે!
             મારી બહેનપણી મને પુછ્યું, “ખુદાને વાસ્તે, સાચે સાચું કહે, શું ખરેખર તાલિબાન આપણી સ્કૂલ પર હુમલો કરશે?” હજુ આજે સવારની એલેમ્બ્લીમાંજ અમને કહેવામાં આવ્યું હતું કે અમારે રંગબેરંગી કપડાં પણ પહેરવાં, કેમકે તાલિબાનને પસંદ નથી!
             સ્કૂલેથી આવ્યા પછી બપોરના ભોજન પછી મારે ટ્યૂશન હતું. ટ્યૂશનમાંથી પાછા ઘરે આવી મેં ટીવી ચાલું કર્યું તો જાણવા મળ્યું કે શાકાર્દ્રામાંથી ૧૫ દિવસ પછી કરફ્યૂ હટાવી લેવામાં આવ્યો છે, સાંભળી મને બહુજ ખુશી થઈ કારણ કે ઇલાકામાં રહેતાં અમારાં અંગ્રેજીનાં મેડમ હવે સ્કૂલે આવી શકશે!

બુધવાર, જાન્યુઆરી.
             હું મોહર્રમની રજાઓમાં બુનૈર આવી છું. મને અહીંના પહાડો અને લીલાંછમ ખેતરો બહુજ ગમે છે. મારી સ્વાત ઘાટી પણ બહુજ સુંદર છે પણ ત્યાં શાંતિ નથી, જ્યારે અહીં શાંતિ અને અમન છે, ક્યાંથી ગોળીઓના અવાજ નથી સંભળાતા, અમે બધા અહીં ખુબ ખુશ છીએ. આજે અમે પીરબાબાની મઝાર આવ્યા છીએ, બીજા પણ ઘણા લોકો આવ્યા છે લોકો દુઆ માટે આવ્યા છે પણ અમે તો ફરવા આવ્યા છીએ. આસપાસની દુકાનોમાં રંગબેરંગી ચૂડીઓ, કાનની વાળે વગેરે નકલી ઘરેણાં વેચાય છે પણ મને એમાંથી ખાસ કાંઈ ગમ્યું નહીં. અમ્મી કાનની બુટ્ટી અને ચૂડીઓ ખરીદી.

બુધવાર, ૧૪ જાન્યુઆરી.
             આજે સ્કૂલ જતી વખતે મારો મૂડ જરાયે ઠીક નથી કારણકે આવતી કાલથી શિયાળાનું વેકેશન શરૂ થાય છે. પ્રિન્સીપાલે રજાઓ શરૂ થવાની જાહેરાત તો કરી દીધી છે પણ ફરી વેકેશન ક્યારે ખૂલશે નથી કહ્યું, આવું પહેલીવાર થયું છે, દરવખતે વેકેશન શરૂ થવાના સમયેજ સ્કૂલ ખૂલવાની તારીખ પણ કહેવામાં આવતી. અલબત્ત, પ્રિન્સીપાલે તારીખ બતાવવાનું કારણ નથી કહ્યું પણ મને લાગે છે કે ૧૫મી થી તાલિબાને છોકરીઓના શિક્ષણ પર પ્રતિબંધ લાદ્યો છે એજ કારણ હશે, વખતે છોકરીઓમાં રજાઓને લઈને કોઇ ઉત્સાહ જોવા મળતો નથી, કારણ કે જાણે છે કે જો તાલિબાનનું ફરમાન લાગુ થઈ ગયું તો પછી ક્યારેય સ્કૂલે નહીં જઈ શકે. મને ભરોસો છે કે એક દિવસ સ્કૂલ પાછી ખૂલશે છતાં ઘરે જતાં હું સ્કૂલ ને રીતે જોઈ રહી હતી કે કદાચ હવે હું અહીં ક્યારેય નહીં આવી શકું!

ગુરૂવાર, ૧૫ જાન્યુઆરી.
             રાત આખી તોપની ધણધણાટી સંભળાતી રહી એટલે રાત્રે ત્રણ વખત મારી ઉંઘ ઊડી ગઈ. પણ સ્કૂલે નહોતું જવાનું એટલે સવારે મોડી દસ વાગ્યે ઉઠી. મારી એક સહેલી આવી અમે ગૃહકાર્યની ચર્ચા કરી. આજે ૧૫મી જાન્યુઆરી છે, આવતી કાલથી તાલિબાનનું ફરમાન લાગુ થવાનું છે પણ મેં અને મારી બહેનપણીએ સ્કૂલના હોમવર્કની રીતે વાત કરી જાણે કશું અસામાન્ય બન્યું નથી!
             આજે છાપાંમાં મેં બીબીસી ઉર્દુમાટે મારી લખેલી ડાયરી વાંચી. મારી અમ્મીને મારું ઉપનામગુલ મકઈબહુ ગમ્યું, અને એણે મારા પિતાને કહ્યું કે આપણે આનું નામ બદલીનેગુલ મકઈરાખી દઈએ તો?” મને પણ સારું લાગ્યું કેમકે મારા અસલી નામનો અર્થ છેશોકાતુર વ્યક્તિ’!
             મારા પિતાએ કહ્યું કે થોડા દિવસ પહેલાં કોઇ મારી પાસે ડાયરીનાં છપાયેલાં પાનાં લઈને આવ્યું હતું અને વખાણ કર્યાં કે બહુ સરસ લખ્યું છે, મારા પિતાએ કહ્યું કે ત્યારે મારી મારે માત્ર સ્મિત કરવા સિવાય બીજો કોઇ વિકલ્પ નહોતો, હું એમ પણ નહોતો કહી શકું એમ કે ડાયરી તો મારી લાડલી દીકરીની લખેલી છે!
_______________
             આજે દુનિયાભરમાં કોમ,નાત,જાત અને મઝહબના ભેદભાવ ભૂલી જેની જીંદગીની દુઆઓ માગવામાં આવી રહી છે મલાલા યૂસુફઝઈની ડાયરીના અંશો છે.
             ડાયરીના અંશો છે જેણે તાલિબાન જેવા ખતરનાક અને અતિ ક્રૂર સંગઠનને ધ્રૂજાવી દીધું અને પાકિસ્તાનની સ્વાતઘાટીમાં તાલિબાન ના જુલ્મો તળે જનજીવન કેવું હતું પહેલીવાર દુનિયા સામે આવ્યું. ડાયરી ૨૦૦૯માં બી.બી.સી. ઉર્દુ માટે લખાઈ ત્યારેગુલ મકઈના ઉપનામથી લખનાર મલાલા યૂસુફઝઈની ઉંમર હતી માત્ર ૧૧ વર્ષ! જે ઉંમરે છોકરીઓને ભણવા સિવાયના સમયમાં કાંતો ઘરકામ શીખવાનું હોય છે ને કાં બહેનપણીઓની સાથે ઢીંગલા-ઢીંગલીને પરણાવવામાં વધારે રસ હોય છે ઉંમરે, આવી પડેલી પરિસ્થિતીએ મલાલાને વહેલી પરિપકવ બનાવી દીધી અને છોકરીઓને ભણવા સામેના તાલિબાનના પ્રતિબંધ સામે નિડર કન્યાએ લડવાનું નક્કી કર્યું, ડાયરી લખીને. ૧૪ વર્ષની પરાણે વહાલી લાગે એવી માસૂમ વિરાંગના મલાલા યૂસુફઝઈ ગઈ તારીખ નવમી ઓક્ટોબરે સ્કૂલેથી ઘરે આવી રહી હતી ત્યારે રસ્તામાં કેટલાક શખ્સોએ બસ રોકી ને મલાલાને ગોળી મારી દીધી છે! જંગલી શબ્દનો ગાળ તરીકે ઉપયોગ, એ માણસજાતની હલકાઇમાંથી ઉદ્‌ભવેલો છે બાકી જંગલી પશુ દ્વારા કરાતી હિંસા એ માત્ર એક ટંકના ભોજન માટે હોય છે, કુદરતના નિયમ મુજબ હોય છે, ધર્મના નામે નહીં! બર્બરતા એ તો માત્ર માણસજાતનો ઈજારો છે.

             અલબત્ત, ભારત અને પાકિસ્તાન બન્ને આતંકવાદથી ગ્રસ્ત છે, ભારત એની મૂર્ખામી ભરેલી વૉટબેંકની રાજનીતિને કારણે અને પાકિસ્તાન એના પોતાનાજ પાપે! ઈતિહાસ સાક્ષી છે કે આતંકવાદ એક એવો ભસ્માસૂર છે કે જે છેવટે તો એના આકાને પણ નથી બક્ષતો, ઓસામા-બિન-લાદેન, જર્નાઇલસિંગ ભીંદરાણવાલે અને વેલ્લુપિલ્લઈ પ્રભાકરન એનાં સચોટ ઉદાહરણો છે. એમાંયે તાલિબાન તો એના ચિત્ર વિચિત્ર ફતવાઓ, બર્બરતા અને કટ્ટરતાને કારણે એટલું બદનામ છે કે તાલિબાન શબ્દ સામાન્ય વાતચીતમાં પણ કટ્ટરતાના પર્યાય તરીકે વપરાવા લાગ્યો છે! હજુ  ઓગષ્ટ મહિનાનીજ વાત છે, તાલિબાનોએ અફગાનિસ્તાનમાં ૧૫ પુરૂષો અને સ્ત્રીઓનાં માથાં વાઢી નાખ્યાં એમનો ગુનો માત્ર એટલો હતો કે લોકો કોઇ નાચગાન ના કાર્યક્રમમાં ભાગ લેતા હતા! (ધર્માંધ લોકોને હમેશાં લોકોના આનંદ સામે કેમ વાંધો પડતો હશે? પ્રશ્ન આપણા દેશના હિન્દુ તાલિબાનો માટે પણ એટલોજ પ્રસ્તુત છે!) હદ તો ત્યારે થઈ ગઈ કે પાકિસ્તાનનાં વજીરીસ્તાન અને કબાઇલી ઇલાકાઓમાં પોલિયોનાં રસીકરણ ઉપર તાલિબાને પ્રતિબંધ લાદી અને લગભગ અઢીલાખ જેટલાં બાળકોને પોલિયોની રસીથી વંચિત રાખી દીધાં!

             સ્વાતઘાટીમાં તાલિબાનોએ કહેર વર્તાવવો શરૂ કર્યો પહેલાં મલાલાની જીંદગી એક આમ છોકરીને જીંદગી જેવી સામાન્ય હતી. ભણવું, ઘરકામ કરવું અને રમવું. પણ તલિબાને ફતવો બહાર પાડી છોકરીઓને ભણવા પર પ્રતિબંધ લાદી દીધો, સ્વાતઘાટીની લગભગ ૪૦૦ જેટલી સ્કૂલો બંધ થઈ ગઈ, જેમાંથી મોટાભાગનીને તો તાલિબાને બોમ્બથી ઉડાવી દીધી. ઘણી ખરી છોકરીઓ જે ભણવા માગતી હતી તે સુદૂર વિસ્તારોમાં સગાવહાલાઓને ત્યાં જતી રહી અથવા એનાં મા-બાપે મોકલી આપી. અહીં જીંદગી સતત ખૌફમાં હતી, ગમે ત્યારે અપહરણ થઈ જાય અથવા ચહેરા પર એસીડ ફેંકાય. (ને પણ ઈસ્લામ અને અલ્લાહના નામે!) મલાલાને ઘટનાઓએ હચમચાવી મૂકી અને એણે ચૂપચાપ બેસી રહેવાને બદલે લડવાનું નક્કી કર્યું. એણે ડાયરી લખવાનું ચાલુ કર્યું, ’ગુલ મકઈના ઉપનામથી લખેલી એની ડાયરી બી.બી.સી. ઉર્દુ મારફત દુનિયાની સામે આવી અને દુનિયાને ખબર પડી કે સ્વાતઘાટીમાં લોકોની ખાસ કરીને છોકરીઓની જીંદગી કેટલી કઠીન છે!

             ’ગુલ મકઈની ડાયરી મારફત તાલિબાનની સચ્ચાઇ દુનિયાની સામે આવતી રહી અને તાલિબાન માટેગુલ મકઈસૌથી મોટી દુશ્મન બની ગઈ. છેવટે એક લાંબા સમયગાળા પછી સેનાએ સ્વાતઘાટીમાંથી તાલિબાનને મારી હઠાવ્યા અનેગુલ મકઈમલાલા યૂસુફઝઈ તરીકે દુનિયાની સામે આવી અને ખુલ્લેઆમ, સમારંભોમાં અને પત્રકાર પરિષદોમાં બોલવાનું ચાલુ કર્યું. કહેવાય છે કે આ પહેલાં એને ત્રણ વાર તાલિબાનની ધમકી મળી ચૂકી હતી, પણ આ વિરાંગનાનું રૂવાંડુયે ના ફરક્યું ને એણે પોતાનું મિશન ચાલુ રાખ્યું. મલાલાના પરિવારને સરકાર તરફથી કોઇ સુરક્ષા આપવામાં નહોતી આવી કારણકે કોઇએ એવું નહોતું ધાર્યું કે તાલિબાન એક ૧૪ વર્ષની માસૂમ ને મારવાની હદ સુધી જઈ શકે છે. આપણા દેશમાં જ્યારે કોઇ આતંકવાદી હુમલો થાય છે ત્યારે રાજકારણીઓ દરવખતે એજ જૂની પુરાણી ને ઘસાઈ ગયેલી રેકર્ડ વગાડે છે કે આ કાયરતાપૂર્ણ કૃત્ય છે પણ અહીં આ એક ચૌદ વરસની માસૂમ પર એને મારી નાખવાના હેતુથી હુમલો કરવામાં આવે એજ બતાવે છે કે તાલિબાન એનાથી કેટલા ડરી ગયા હશે! આ તો સાચા અર્થમાં કાયરોનું જ કામ છે.

             દરમિયાનમાં ભારતની મુલાકાતે આવેલા પાકિસ્તાનના માનવ અધિકારવાદી સામાજીક કાર્યકર્તા અન્સાર બર્નીએ ભારતના લોકોને અપીલ કરી છે કે “એ સાચું કે આપણે બે મુલ્કમાં વહેંચાઇ ગયા છીએ, પરંતુ આપણા વિચારો અને આપણી સમજ એક છે. આ હુમલો મલાલા પર નથી થયો પણ હિન્દુસ્તાન અને પાકિસ્તાનની એક બેટી પર થયો છે. એટલે હું મારા હિન્દુસ્તાની ભાઇઓને અપીલ કરૂં છું કે કટ્ટરપંથીઓ સામે આપણે એક થઈએ અને ગોડ, ભગવાન અને વાહેગુરૂ પાસે આપણી આ બચ્ચીની ખૈરિયત માટે દુઆ કરીએ!” યાદ રહે આ એજ અન્સાર બર્ની છે જે પાકિસ્તાનની જેલમાં રહેલા સરબજીતસિંગની મુક્તિ માટે એક લાંબા સમયથી લડત ચલાવી રહ્યા છે.

             મલાલા પરના આ હુમલાની એ જબરદસ્ત અસર એ થઈ એ કે આખું પાકિસ્તાન એક થઈને એની નિંદા કરે છે, જેમાં તાલિબાનના સમર્થક ને શરિયત મુજબ જ દેશ ચલાવવાની હિમાયત કરનારા કટ્ટરપંથી મુલ્લાઓ પણ આવી જાય છે. ભારતીય કાશ્મિરના અલગતાવાદી નેતા સૈયદ અલીશાહ ગિલાની એ તો એટલે સુધી કહ્યું કે “અલબત્ત, વિદેશી શક્તિઓ સામેની તાલિબાનની લડાઈનું અમે સમર્થન કરી છીએ પરંતુ એનો અર્થ એ નથી કે એ લોકો ઈસ્લામના નામે જે કાંઇ કરે એ બધું ચલાવી લેવું, પાકિસ્તાની તાલિબાન નિર્દોષ લોકો પર હુમલા કરીને ઇસ્લામને બદનામ કરે છે.” આમ દુનિયામાં ઠેકઠેકાણે મલાલા પરના હુમલાની નિંદા થઈ રહી છે અને એની સલામતી માટે દુઆઓ થઈ રહી છે ત્યારે, ભારતમાં સોરાબુદ્દીન, ઈશરતજહાં અને અફઝલ ગુરૂ જેવાના માનવહક્કોની ચિંતામાં જેની  નીંદર હરામ થઈ જાય છે, જેને ખાવાનો કોળિયો ગળે નથી ઉતરતો ને જેમનાથી વારંવાર એને યાદ કરીને હિબકે ચડી જવાય છે એવું સેક્યૂલર નામનું પ્રાણી સાવ ચૂપ છે એ નવાઈ નથી લાગતી?

            ધરપતની વાત એ છે કે આ લખાય છે ત્યારે સમાચાર આવે છેકે મલાલા યૂસુફઝઈની તબિયત હવે સુધારા ઉપર છે અને એને વધુ સારવાર માટે ખાસ એર એમ્બ્યુલન્સમાં બ્રિટન લઈ જવામાં આવેલ છે. કાનૂનનું શિક્ષણ લઈને રાજનીતિમાં આવવા માગતી મલાલાએ એક એવા દેશનું સપનું જોયું છે જેમાં શિક્ષણ જ સર્વોપરી હોય!
             આપણે બધા સાથે મળીને કહીએ, ’આમીન...’

          ગંગાજળ
             પાકિસ્તાનમાં શરિયતનું શાસન ઈચ્છતા અને કટ્ટરવાદી કહેવાય એવાં ૫૦ જેટલાં ધાર્મિક સંગઠનોએ મલાલા ઉપર જાનલેવા હુમલો કરનાર ગનમેન સામે ફતવો જારી કર્યો છે! સમાન વિચારધારા વાળાં એક સંગઠન સામે બીજાં કટ્ટરવાદી સંગઠનોનો ફતવો એટલે ’રેરેસ્ટ ઓફ ધ રેર’ ઘટના!