Wednesday, January 09, 2013

વલોપાત


બુદ્ધ, મહાવીર અને ગાંધીનો
બહુ મોટો ઉપકાર છે અમારા પર,
જ્યારે ,
કોઇ પિંખાયેલી દીકરી
નિર્વસ્ત્ર હાલતમાં રસ્તા પર પડેલી હોય
ત્યારે,
અમને બુદ્ધ સાંભરી આવે ને
અમે એ સ્થળેથી અને માનવતાથી 
મહાભિનિષ્ક્રમણ કરી જઈએ છીએ..
જ્યારે, 
શેતાનો કોઇ કારણ વિના
અમારા રખેવાળોનાં ગળાં રહેંસી નાખે છે
ત્યારે,
અમારી નપુંષકતા ઢાંકવા માટે 
મહાવીરનો શાંતિ અને અહિંસાનો 
પોપટપાઠ જપીએ છીએ...
અને 
છેલ્લે,
અમારો દંભ ઉઘાડો ન પડે 
એટલા માટે ગાંધીનો સત્યાગ્રહ છેજ ને!,
ને અમે
ચીતરેલાં પૂઠાં 
ને સળગતી મીણબત્તીઓ લઈ
કામે લાગી જઈએ છીએ... 
બુદ્ધ, મહાવીર અને ગાંધીનો
બહુ મોટો ઉપરકાર છે અમારા ઉપર...

No comments:

Post a Comment