Monday, January 15, 2024

हां बोलुं तो हाथ कटे और ना बोलुं तो नाक!

एक जानीमानी पुरानी पॉलिटिकल पार्टी के कार्यालय में घुसकर चुपके से हमारे संवाददाता ने जो देखा सुना वो आपको बताने जा रहे है।

पार्टी अध्यक्ष: मैडमजी, राम मंदिर का न्योता आया है, क्या किया जाए? 

मैडम: बहुत ही मुश्किल हालात में डाल दिया है हमें ये न्योता दे कर!

पार्टी अध्यक्ष: सही बात है मैडमजी, अगर न्योता नहीं भेजते तो हमें हंगामा करने का मौका मिलता। हम छाती पीट पीट कर पूरे देश के सामने विक्टिम कार्ड खेल शकते की हमें न्योता नहीं दिया!😰 लेकिन हमें न्योता देकर हमारे हाथ से ये मुद्दा छीन लिया!😭

मैडम: वो तो ठीक है, वो इतनी बड़ी बात नहीं है। बड़ी बात ये है की अब करे क्या? अगर हां बोल कर न्योता स्वीकार लिया तो हाथ कटेंगे, और ना बोला तो नाक!

पार्टी अध्यक्ष: तो फिर क्या किया जाए मैडमजी?

मैडम: (बहुत सोचने के बाद) देखो ऐसा करते है... बायां हाथ कटवाया तो हर सुबह तकलीफ़ होगी और दाहिना हाथ गया तो तो बहुत सारी तकलीफ। तो मुझे लगता है की नाक कटवाना ही अच्छा रहेगा।

पार्टी अध्यक्ष: जी मैडमजी, आप बिल्कुल ठीक बोल रही है, हम नाक कटवा लेते है।

थोड़ी देर बाद बाहर यात्रा यात्रा खेल रहा छोटा लप्पू कमरे में आया, मैडम की और थोड़ी देर तक देखता रहा और फिर बोला: वाउ ...मम्मी, तुम तो बिल्कुल रामानंद सागर की रामायण में मैने जो देखी थी वो शूर्पनखा दिख रही हो!

🤣🤣🤣

Thursday, November 29, 2018

સેક્યૂલર ગતકડું

લખ્યા તારીખ: 27/09/2013

થોડા સમય પહેલાં પી એમ ઇન વેઈટીંગ નરેન્દ્ર મોદીએ એક સભામાં ’સેક્યૂલારિઝમનો બુરખો’ એવો શબ્દપ્રયોગ કરેલો ત્યારે મીડિયામાં ખાસી કાગારોળ (આ શબ્દપ્રયોગ માટે કાગ સમાજની ક્ષમાયાચના!) મચેલી. દિવસોના દિવસો સુધી સેક્યૂલર બુરખો છવાયેલો રહેલો. ખાસ, બીજો કોઇ નહીં અને બુરખો શબ્દજ કેમ વાપરવામાં આવ્યો એને લઈને મહા મહા અને અતિજ્ઞાની પંડિતોએ એ વિષયમાં પીએચડી થઈ શકાય એટલાં તારણો અને અર્થઘટનો કરેલાં. મને લાગે છે કે નરેન્દ્રભાઇની ભૂલ તો ખરીજ, આ દેશમાં તમે તમારી જાતને પહેલવહેલાં તો કોમવાદી તરીકે ત્યારેજ સાબિત કરી દીધી જ્યારે તમે બહુમતીમાં જન્મ લીધો. (આ વાક્ય સામે જે કોઇ સેક્યૂલર ભાઇ કે બહેનને વાંધો હોય એણે NAC ના લક્ષીત હિંસા વિરોધી વિધેયકનો ડ્રાફ્ટ જોઇ જવો.) અને ’સેક્યૂલર ઘૂંઘટ’ જેવો સેક્યૂલર શબ્દ વાપરી શકાય એમ હોવા છતાં, ’સેક્યૂલર બુરખા’ જેવા શબ્દો તમે વાપરો, પછી ક્યાં કઈ કહેવાપણું વધે છે!

પણ એક વાત તો છે, કે આ સેક્યૂલારિઝમનો બુરખો છે બહુ કામની ચીજ! જુઓને આ તહેલકાવાળા સજ્જન પુરૂષ શ્રીમાન તરૂણભાઇ તેજપાલ, જેમણે પોતે જાતે જ, પોતાના નાનકડા અપરાધ બદલ પોતાની જાતને છ માસના હોલિ ડે પેકેજની અતિ કઠિનતમ ઘોર સજા આપી છતાં આ ગોવાની બદમાશ કોમવાદી સરકાર એની પાછળ પડી છે કારણકે તરૂણભાઇ સેક્યૂલર છે! (આવું મારું કહેવું નથી પણ તરૂણ તેજપાલે આગોતરા જામીન માટે કોર્ટમાં જે અરજી કરી છે એમાંના શબ્દો છે.) બિચારાને સેક્યૂલર હોવાની કેટલી કિંમત ચૂકવવી પડી કે એ જેને જોઇને ઉત્તેજીત થઈ ગયો એ છોકરીએ આ ધરતી પર જનમ લીધો!

ખરેખર આ દેશમાં સેક્યૂલર લોકોએ કેટલું બધું સહન કરવું પડે છે! સેક્યૂલર હોવાના કારણે અભિષેક મનુ સિંઘવીને એવો ડ્રાયવર ભટકાયો જે એના કારસ્તાનને મોબાઇલમાં રેકોર્ડ કરીલે! સેક્યૂલર હોવાને કારણે એન ડી તિવારીને તો કોઇએ કાવતરું કરીને ગળથૂથીમાંજ વિયાગ્રા જેવું કાંક પીવડાવી દીધેલું!

જેને દેશની બહુમતિ જનતાએ દિલમાં જગ્યા આપેલી ને સરઆંખો પર વરસો સુધી બેસાડેલ એ અઝહરૂદ્દીનને જ્યારે ફિક્સીંગમાં ફસાયો ત્યારે અચાનક યાદ આવ્યું કે પોતે તો લઘુમતિ છે! (આ પણ એક જાતનું સેક્યૂલારિઝમ જ કહેવાય ને?) પછી એને આ કૌભાંડી કારસ્તાન કરવાની લાયકાત માટે સાંસદની ખુરશી ઇનામમાં મળી એ અલગ વાત છે.

સેક્યૂલર હોવાને કારણે નદીમ અને દાઉદભાઇ જેવાઓએ આ દેશ છોડવો પડ્યો છે!

ટૂંકમાં તરૂણભાઇએ આ દેશની એક જમાત પર બહુ મોટો ઉપકાર કર્યો છે, આ સેક્યૂલારિઝમનો પુણ્યપંથ ચીંધીને! દિલ્હી નિર્ભયા કેસના આરોપીઓને પણ હવે ઉપલી કોર્ટમાં આ સેક્યૂલારિઝમ કામ લાગી શકે છે.

ખૂન કરો, ચોરી કરો, બળાત્કાર કરો, કૌભાંડ કરો જે કરવું એ કરો, બસ, છેલ્લે કલાપિની ક્ષમાયાચના સાથે,

"હા સેક્યૂલારિઝમ પવિત્ર ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે..."

(અહીં મૂળ પંક્તિમાં મેં માત્ર એકજ શબ્દ ફેરવ્યો છે છતાં જો કોઇને અહીં સેક્યૂલારિઝમ ઓછું પડતું લાગે તો ’પવિત્ર ઝરણું’ ની જગ્યાએ ’આબે ઝમઝમ’ અને સ્વર્ગની જગ્યાએ ’જન્નત’ તથા પુણ્યની જગ્યાએ ’સવાબ’ શબ્દોનો પ્રયોગ કરવો હોય તો છૂટ છે!)

Thursday, October 18, 2018

મૈં કરૂં તો સાલા કૅરેક્ટર ઢીલા હૈ!


      
ગળથૂથી
સૃજન પ્રક્રિયાના પરમ પવિત્ર કાર્યના પરિણામરૂપે ધરતી પર આવેલ કોઇ શિશુ ક્યારેય પાપ ના હોઈ શકે, પાપ તો હોય છે પોતાની હવસ સંતોષીને જવાબદારીમાંથી છટકી ગયેલો ઐયાશ બાપ!

     આખાયે આયખાં દરમ્યાન માણસના કાનમાં રેડાતાં કેટલાંક વાક્યો એવાં હોય છે જે એના રોમ રોમમાં સંગીત જગાવે છે, એક એવો સુખદ અહેસાસ આપી જાય છે જે કદી ભુલાતો નથી, જેમકે ગાયનેકોલોજીસ્ટના મોઢે બોલાતું એવું એક વાક્ય છે.,
     “અભિનંદન, તમે પિતા બની ગયા છો!
     પણ ધારો કે આ વાક્ય ગાયનેકોલોજીસ્ટના બદલે કોઇ કોર્ટના જજે બોલવાની ફરજ પડે તો? તો આ એનું એજ વાક્ય સમાજને માટે બદનામી, લાંછન અને ચર્ચાનું કારણ બની જાય છે. તાજેતરમાં જ, તનથી વૃદ્ધ પરંતુ મનથી રંગીન તબિયતના અને પોતાની ઐયાશીઓના કારણે વારંવાર ચર્ચામાં રહેલા રાજકારણી, એક વખતના ઉત્તરપ્રદેશના તથા ઉત્તરાખંડના મુખ્યમંત્રી અને આંધ્રના ભૂતપૂર્વ ગવર્નર એવા શ્રી એન ડી તિવારીને ૩૨ વર્ષના યુવાન રોહિત શેખરે પાંચ વર્ષની કાનૂની લડાઇ બાદ, એઓ પોતાના પિતા છે એવું સાબિત કર્યું છે.

     રોહિતની માતા ઉજ્જ્વલા શર્મા પણ એક રાજકારણી શેરસિંહની જ દીકરી અને જ્યારે એની ઉંમર ૩૩-૩૪ ની હશે ત્યારે વનમાં પ્રવેશી ચૂકેલા અને એ વખતે યુવક કોંગ્રેસના (આ ભારતીય રાજકારણની યુવાનીની વ્યાખ્યા છે!) નેતા એવા તિવારીજીએ ઉજ્જવલાની આગળ પાછળ ચક્કર મારવાં શરૂ કરેલાં. પછી તો ઉજ્જવલા સાથેના તિવારીજીના સંબંધો જગ જાહેર હતા જે રોહિત અને ઉજ્જ્વલા સાથેના તિવારીજીના અનેક ફોટા પરથી ખ્યાલ આવે છે. કહેવાય છે કે તિવારીજી એક સમયે ઉજ્જ્વલા અને રોહિતનો કાયદેસર રીતે સ્વીકાર કરી લેવા તૈયાર હતા કારણ કે તિવારીજીને એમનાં સ્વર્ગસ્થ પત્ની ડૉ. સુશીલાથી કોઇ સંતાન પણ નહોતું. ખરેખર જો આવું થયું હોત તો ઘી ના ઠામમાં ઘી પડી જાત અને આ સડો વકરીને ગેંગ્રીનની હદે ના પહોંચત પરંતુ આ બધાના મૂળમાં છે તિવારીજીએ રાજકીય પદો પર રહીને બનાવેલી રૂપિયા ૮૩૪ કરોડની સંપત્તિ. ઉજ્જ્વલા અને રોહિતને તિવારીજી અપનાવી લેવા તૈયાર થયા એથી આ સંપત્તિ પર નજર રાખીને બેઠેલા આ અમુક ખાટસવાદિયાઓને પોતાનાં બારે વહાણ ડૂબી જતાં લાગ્યાં એટલે યેનકેનપ્રકારેણ તિવારીજીના કાનભંભેરીને ઉજ્જ્વલા-રોહિતને તિવારીજીથી દૂર કરવાનું ષડ્યંત્ર સફળ રહ્યું પરંતુ આના ભાવિ પરિણામ આટલાં ભયાનક આવશે એનો એન. ડી. તિવારીને પણ કદાચ અંદાજ નહીં હોય. એક પછી એક જૂઠનો સીલસીલો ચાલુ થયો. અનેક કાવાદાવા, ધમકીઓ, એક પછી એક કોર્ટ, ખોટા સોગંદનામાં, ડી એન એ ટેસ્ટના કોર્ટના આદેશ પછી પણ ઇન્કાર અને બળજબરીથી બ્લડ સૅમ્પલ લેવાયું એ પછી પણ આ ટેસ્ટના પરિણામને જાહેર થતું રોકવાના ધમપછાડા, આ બધાએ જાહેર તો કરીજ દીધું હતું કે ખરેખર કોણ ખોટું છે અને કોણ સાચું, બસ એના પર કોર્ટની મોહર લાગવાની બાકી હતી. શર્ટનું પહેલું બટન ખોટું દેવાય એટલે બધાંજ બટન ખોટાં દેવાય અને છેલ્લા બટન સુધી પહોંચીએ ત્યારે જ ખ્યાલ આવે છે. અહીં બધાં બટન ખોલીને ફરીથી દઈ શકાય છે પરંતુ રિયલ લાઇફ એટલી છૂટછાટ નથી લેવા દેતી!

     જીવનના આઠ દાયકા વટાવી ગયા પછી પણ ઇશ્કી મિજાજ અને રંગીન તબિયત જાળવી રાખવી અને એ પણ પ્રેક્ટિકલી, એતો તિવારીજી જેવા કોક અવતારી પુરુષ જ કરી શકે! જ્યારે તિવારીજી ઉત્તરાખંડના મુખ્ય મંત્રી હતા ત્યારે એમના શાહી જનાનખાનામાં નિયમિત રીતે અનેક મહિલાઓની આવન જાવન રહેતી અને તિવારીજી સાચા કદરદાન પણ ખરા એટલે પોતાને આ રીતે ખુશ કરનાર કેટલીક મહિલાઓને તો એમણે લાલ લાઇટવાળી ગાડીની સગવડ પણ કરી આપેલી! છેવટે કોક અદેખાથી તિવારીજીનું આ સુખ જોવાયું નહીં એટલે ફરિયાદ દિલ્હી દરબાર સુધી પહોંચી અને તિવારીજીને ઉત્તરાખંડથી હટાવી અને આંધ્રના રાજ્યપાલ તરીકે મોકલવામાં આવ્યા. પણ આપણા તિવારીજી ક્યાં ગાંજ્યા જાય એમ હતા? એમણે તો ઉત્તરાખંડવાળા પોતાના જૂના સંપર્કો મારફત કોઇ રાધાને વચ્ચે રાખીને આંધ્રના રાજભવનમાં પણ રાસલીલા રચાવવાની વ્યવસ્થા કરી લીધી! એ રાધાને કોઇ ખાણનું લાઈસન્સ અપાવવાની લાલચ આપી હશે પણ આંધ્રની અફસરશાહીની આડોડાઈને કારણે તિવારી દાદા લાઈસન્સ અપાવી ન શક્યા એટલે એ રાધારાણીએ પોતેજ, ત્રણ ત્રણ ગોપીઓ સાથે રાસ રમતા તિવારી દાદાની ફિલમ ઊતારી લીધેલી, પરિણામે તિવારીજીએ આંધ્રના રાજભવનમાંથી પણ ઉચાળા ભરવા પડેલા.

     પોતાની માતાને ન્યાય અપાવવા માટે, કાનૂની લડત આપીને રોહિત શેખરે જે પરિણામ મેળવ્યું છે એની બહુ દૂરગામિ અસરો પડશે, આવા અન્યાયનો ભોગ બનેલા અનેક માતાઓ અને સંતાનોને ન્યાયની આશા જાગી છે. ડી.એન.એ ટેસ્ટનું પરિણામ જાહેર થયા પછી રોહિત શેખરે સાચું જ કહ્યું છે કે સંતાન ક્યારેય નાજાયજ ના હોય શકે, નાજાયજ તો હોય છે બાપ! સાચી વાત છે, આ પૃથ્વી પર ગુંજતું કોઇ પણ નવજાત શિશુનું પ્રથમ રુદન એ સૃષ્ટિના સરજનહારના પવિત્ર સૃજન કાર્યનું પરિણામ છે, જેણે જન્મ લીધો છે એનો તો બિચારાંનો કોઇ વાંક કે ગુનો નથી તો પછી એને પાપ કઈ રીતે કહી શકાય? પાપ તો છે એના જનમવામાં નિમિત્ત બની અને પછી પોતાની જવાબદારીમાંથી છટકી ગયેલો એનો ઐયાશ બાપ! પોતાની માતાને ન્યાય અપાવવા માટે એકલા હાથે લડાઈ લડી ઝઝૂમી જીતેલા રોહિત શેખરને માત્ર એન.ડી. તિવારી સામે જ ફરિયાદ નથી પરંતુ બહુ વાજબી રીતે એની આ લડાઈમાં સાથ નહી આપવા બદલ નારી સંગઠનો અને સમાજ સામે પણ છે. રોહિત શેખરે આટલે નહીં અટકતાં કોર્ટમાં એક અરજી દાખલ કરી છે કે તમામ સરકારી દસ્તાવેજોમાંથી રખાત, નાજાયજ અને અવૈધ સંતાન એવા શબ્દો હટાવી દેવામાં આવે, પોતાની અરજીમાં એણે એવી દલીલ કરી છે કે જ્યારે આજે લિવ ઇન રિલેશનશીપને કાયદાએ માન્યતા આપી દીધી છે, સ્પર્મ ડોનેશન કાયદેસર છે ત્યારે કોઇ સંતાન ને અવૈધ કઈ રીતે કહી શકાય?

     એવું ચર્ચામાં છે કે આ ચુકાદાની અસરથી ઘણી મહિલાઓ હવે હિંમત કરીને હવે કોર્ટે ચડવાની તૈયારીમાં છે એમાં ઉત્તર પ્રદેશની માયાવતી સરકારના એક પ્રધાન દદ્દુ પ્રસાદનું નામ મોખરે છે. આ બહેનજીની સરકારમાં જ મંત્રી રહી ચૂકેલા અમરમણી ત્રિપાઠી તો પોતાના પાપને છુપાવવા, પ્રેમિકા મધુમીતા શુક્લાની હત્યા કરાવી નાખવાના ગુનામાં અત્યારે આજીવન કેદ ભોગવીજ રહ્યા છે. રાજસ્થાનનો મદેરણાજીનો લોકગાયિકા નર્સ ભંવરીદેવી સાથે નો કિસ્સો પણ તાજો છે, લાલચ હદ વટાવી જતાં સીડી દ્વાર બ્લેકમેઇલિંગ કરીને કરોડો રૂપિયા પડાવવાની કોશિશમાં ભંવરીદેવીની ક્રૂર રીતે હત્યા કરાવી નાખવામાં આવી. તો વળી બહુ બોલકા પ્રવક્તા ને સરકારના વગદાર એવા અભિષેક મનુ સિંઘવીને કોર્ટની એમની ઑફિસમાં જ એમનાજ ડ્રાયવરે સપડાવ્યા અને મોબાઇલથી ફિલ્મ ઉતારી લીધી. સિંઘવીજીએ પોતાની વગનો ઉપયોગ કરી ગમે તે રીતે ટીવી ચેનલોનાં મોઢાં તો બંધ રાખ્યાં પણ સોશ્યલ મીડિયા સુધી વાત પહોંચી ગઇ અને પાપનો ઘડો ફૂટ્યો ને વકીલમાંથી જજ બનાવી દેવાના એમના આ પવિત્ર કાર્ય પર રોક લાગી ગઈ અને રાજકીય કારકિર્દી પણ ખતમ થઈ ગઈ. છાશવારે ટીવી પર આવીને વિરોધીઓને ખરાબ રીતે ઉતારી પાડતા સિંઘવીજી આજે ક્યાં છે અને શું કરે છે એ પણ કોઇને ખબર નથી!

જાહેરજીવનમાં પડેલી વ્યક્તિઓનાં સ્ખલનોનો આ સીલસીલો આજકાલનો નથી પણ બહુ જુનો છે. એ જમાનામાં આજના જેવું ઈલેક્ટ્રોનિક મીડિયા નહોતું કે નહોતું કોઇ જાતનું નિયંત્રણ નહીં ધરાવતું સોશ્યલ મીડિયા છતાં આજે પણ ચાચાજીની ઇશ્ક મિજાજીઓના કેટલા બધા કિસ્સાઓ ચર્ચામાં છે! કલ્પના કરો કે ત્યારે આવું મીડિયા હોત તો શું થાત? આ બધા, તિવારી, મદેરણા, ત્રિપાઠી, સિંઘવી તો બચ્ચાં ગણાય!

શીઇઇઇઇઇઇ..શ... ચૂઉઉઉઉઉપ....ચૂપ..!!! એ નામ કોણ બોલ્યું? ખબરદાર એમનું નામ અહીં લીધું છે તો! ચાચાજીથી જ અટકી જાવ, તમે કહો છો એ નામ આમાં ના આવે, એઓ કરતા એતો પ્રયોગો કહેવાય!

ગંગાજળ
કોઇને ત્યાં સંતાનનો જન્મ થાય એને પારણું બંધાયુંએમ કહેવામાં આવે છે, તો રોહિત શેખરને બત્રીસ વર્ષની ઊંમરે જે પિતારત્નની પ્રાપ્તિ થઇ એ ઘટનાને હિંડોળો બંધાયોએવું કહી શકાય?




Saturday, August 01, 2015

धनुर्विद्या डोट कोम



हैल्लो..कौन?”

प्रणाम गुरुजी, में एकलव्य बोल रहा हुं!”

“अरे एकलव्य..तुम! क्षमा चाहता हुं अभी थोडा बिझी हुं, बादमें बात करें?”

“नहीं गुरुजी..फोन मत काटना प्लीझ..आज सुबह से कोशीश कर रहा था, ये दस-बारह बार कोशीश करने के बाद आपसे बात हो पा रही है, मुझे पूरा भरोसा है की मेरा नंबर आपके सेलफोन पे सेव तो नहीं होगा, लेकिन फिर भी ट्रुकोलरमें मेरा नाम देखते ही आप फोन काट देते होंगे! आखिर में मेरी वाईफ के नंबर से ये कोल किया है और अन्जान नंबर समजकर आपने उठा लिया!”

“अरे नहीं..वत्स ऐसा नहीं है..दरअसल बात ये है की……ये है की…मेरा सेल फोन…”

“बिगड गया था? पानीमें गिर गया था? बेटरी डिस्चार्ज हो गई थी? किसी दूसरे के पास था? बोलीये बोलीये…इसमें से कोइ बहाना है या आपने कोइ नये बहाने का आविश्कार किया है?”

“अरे नहीं वत्स..मैं तो..बस मैं तो…”

“अरे छोडिये बकरी की तरह में में में करना, अपना अहंकार छोड के सीधी तरह बोल क्यों नहीं देते की आपको अपने कृत्य पर गिल्ट फिल हो रहा है!”

“……………..!”

“देखिये गुरुजी, आज मैंने आपको आपका वो पाप याद दिलाने के लिये या आत्मग्लानि कराने के लिये कोल नहीं किया..आपने जो कुछ किया वो तो इस पावन शिक्षण क्षेत्रमें बस डिमक लगने की शुरूआत ही थी, आजके द्रोणाचार्य जो कर रहे है उसके सामने आपके किये गुनाह तो कुछ भी नहीं है!”

“मेरे गुनाह? कितने गुनाह किये मैंने की तु ऐसे बोल रहा है? बस, एक ही तो गलती की थी मैने तेरे साथ जो किया…”

“रहने दिजीये गुरुजी..आज के पावन दिन पर मेरा मुंह मत खुलवाईए, मेरे साथ तो आपने किया सो किया, इसके सिवा भी न जाने कितनीबार आपने अर्जुन को ग्रेसींग मार्क्स से पास करवाने के लिये नजाने कितनी साज़िसें रची, कितनीबार भ्रष्टाचार किया!”

“साधु…साधु…वत्स में ये क्या सुन रहा हुं! मैं भ्रष्टाचारी? मैने साज़िसें की? क्या क्या साज़िसे? विपक्षो की तरह बेबुनियाद आरोप मत लगा!”

“मैं बेबुनियाद बात कभी भी नहीं करता गुरुजी, आप आज मेरा मुंह खुलवाना ही चाहते है तो सुन लिजिये, उस दिन, पंछी की आंखवाली कसौटी जो आपने रख्खीथी उसमें भी आपने अर्जुनो को कपट से उत्तीर्ण घोषित कर किया था!”

“क्या बक रहे हो! सारी दुनिया जानती है की उस दिन केवल अर्जुननेही सही उत्तर दिया था और उसकी वज़हसे उत्तीर्ण हुआ था!”

“गुरुजी…! ये सब कहानीयां आप विदुरजी के आगे करते तो वो शायद मान भी लेते, मैं तो आपको अच्छे से जानता हुं, मेरे आगे तो झूठ मत बोलीये! मुज़े पता है की उस दिन उस इम्तहानमें आपने एक तो अर्जुनको जानबुज़ कर आखरी रख्खा था ताकी उसको आपके सवाल “तुम्हे क्या दिखाई दे रहा है?” के जवाबमें ये तो पता चल जाय आगे जो सौ कौरव और उसके चार भाईओने उत्तर दिये वो गलत है और उसको इसके सिवा कोइ उत्तर देना है!”

“लेकीन वत्स…आखीरमें तो आखीरमें, सही उत्तर तो केवल अर्जुनने ही दिया, और मेंने उसे उत्तीर्ण घोषीत किया इसमें कपट कहां आया?”

“अब रहने भी दिजीये गुरुजी, खाक सही उत्तर दिया था? अपनी बारी का इन्तझार करते करते थका हारा उब चुका अर्जुन जब बारी आई तो धनुषसे निशाना लगाने का प्रयत्न करते करते गुस्से से “इस की मां की आंख…” ऐसा कुछ बडबडायाथा और आपने उसमें से आंख शब्द पकडकर उसे उत्तीर्ण घोषित कर दिया!”
“तुम ये कैसे कह शकते हो की उस दिन अर्जुन ऐसा बोला था? तुम तो उस दिन वहां थे नहीं!”

“गुरुजी हो शकता है की उम्रके कारन आपके कान कमज़ोर हो गये हो और आपने शायद ठीक ठीक सुना ना हो, और सही उत्तर मील गया मान लिया हो, उस दिन भले ही मैं नही था वहां, लेकीन दुर्योधन जो बिलकुल अर्जुन के बगलमें खडा था उसने बिलकुल साफ सुना था की अर्जुनने क्या बोला है!”

“दुर्योधन? वो दुष्ट तुम्हे कहां मील गया?”

“वोट्सएप पे मीला था, और कह रहा था की वो ये आपकी कपटवाली कहानी आज गुरुपूर्णिमा के दिन ही फेसबुक और वोट्सएप पे डाल के वायरल करनेवाला है…वो तो मैने उसको समजाया और रोका वर्ना आज शाम आते आते आपके घर के सामने मीडिया का जमावडा होता और आप आज ब्रेकिंग न्यूझ बन जाते!”

“बहोत अच्छा किया तुमने…तुमने मुज़े बचा लिया…वर्ना में कहींका नहीं रहता…लेकीन वत्स एक बात बता, तुमने उसे क्यों रोका? तुमने मुझे क्यों बचाया, जबकी मैंने तुम्हारे साथ इतना बडा अन्याय किया है?”

“कोमनसेन्स की बात है गुरुजी..अगर हमने जिस युनिवर्सिटीसे पढाई की है उस युनिवर्सीटी की फर्ज़ी डीग्री का मामला बाहर आये तो हमारी खुद की डीग्री भी शक के घेरेमें आ जाये! किन्तु गुरुजी, एक बात सच सच बताईये उस दिन अर्जुनने जो बोला था वो आपने वाकई नहीं सुना था या जानबुझ कर अनसुना किया था?”

“अब तु सबकुछ जान ही गया है तो तुजसे झुठ बोलने का कोइ मतलब ही नहीं है…किसीको बोलना मत, बात को अपने तक ही रखना, मै तुज़े ओफ ध रेकोर्ड बता रहा हुं की हां, उस दिन मैने बिलकुल साफ सुना था अर्जुन जो बोला था!”

“तो फिर गुरुजी आपने उसको उत्तीर्ण क्यूं किया?”

“अब तुजे़ क्या बताउं! उस बिना बाप के बच्चों के प्रति भिष्मका पक्षपात तो तुभी जानता है! कैसे भी करके उस पांच निकम्मोमेंसे मुज़े एक को पास करना ही था वरना हमारे महाविद्यालय को राज्यसे मीलनेवाली ग्रान्ट बंध हो जाती, सब जानते है की परदे के पीछे से सत्ताके सुत्र भिष्मके हाथ में थे!”

“लेकीन गुरुजी, मेरी क्या गलती थी? आपने मेरे साथ क्यूं ऐसा किया?”

“मत्त मारी गई थी मेरी उस दिन! जब तु पहलीबार एडमीशन के लिया आया तो तेरा हुलिया देख के मुज़े लगा की तु मेरी फीस अफोर्ड नहीं कर पायेगा, उस लिये मैनें “सिर्फ क्षत्रियों को धनुर्विद्या शीखाने” का बहाना करके तुज़े भगा दिया, पर तेरी जीद ऐसीथी की मेरी वेब साइट डबल्यु डबल्यु डबल्यु डोट धनुर्विद्या डोट कोम से सारे लेशन्स और वीडियो डाउनलोड करके, प्रेकटीस करके तुने धनुर्विद्या प्राप्त की!”

“लेकीन गुरुजी, मैंने पायरेटेड वीडियो से तो नहीं शीखा! ऒफिसीयली जरूरी चार्जीस भरके वहां से वीडियो डाउनलोड किये थे!”

“हां वत्स, वो भी मुज़े पता है, जब जब तेरे क्रेडीटकार्ड से फीस की अमाउन्ट मेरे अकाउन्टमें ट्रान्सफर हुई तब तब मेरे मोबाईल पे मेसेज आये थे..”

“तो गुरूजी वो क्या बजही थी की आपने गुरुदक्षिणा का कपट करके मुज़े दाहिने हाथ का अंगूठा छीन लिया?”

“मुजसे बहोत बडा गुनाह हो गया मेरे बच्चे! मैं स्वार्थमें अंधा हो गया था…मुज़े लगा था की अगर लोगों में ये बात फैल गई की मेरे पास प्रत्यक्ष आके शीखनेवाले से ज्यादा अच्छे से मेरे वेबसाइट से ओनलाइन शीखा जा शकता है तो फिर मेरी युनिवर्सीटी को ताला लगाने की नौबत आ जाये! मैं सचमुच शरमींदा हुं, मेरे किये कृत्य के लिये, मैं माफीके काबिल तो नहीं हुं फिर भी हो शके तो माफ कर देना…”

“अरे अरे..गुरुजी…आप मुज़से माफी मांग के मुज़े पापी मत बनाईए..मैने आज गुरुपूर्णिमा के दिन आपसे माफी मंगवाने के लिये नहीं पर आपका शुक्रिया अदा करने के लिये आपको फोन किया है!”

“शुक्रिया? मेरा शुक्रिया? क्यूं  मेरा मखौल उडा रहे हो! मैने तेरे साथ जो किया उसके बाद तु मेरा शुक्रिया अदा क्यूं करेगा?”
“बिलकुल होशोहवास में सच बोल रहा हुं गुरुजी, आज गुरुपूर्णिमा के दिन आपका शुक्रिया अदा करने के लिये ही फोन  किया है!”

“मुज़े कुछ समज़में नहीं आ रहा…तु क्यूं मेरा शुक्रिया अदा करेगा?”

“देखिये गुरुजी, उस दिन आपने कपट करके गुरुदक्षिणा के नाम पे मेरे दांये हाथ का अंगूठा छिन लिया ठीक है?”

“हां तो मैंने बोला तो सहीं की मैं शरमींदा हुं, मुज़े माफ कर दे तो फिर उस बात को दोहरा के ताना क्यूं मार रहा है?”

“नहीं गुरुजी मैं बिलकुल ताना नहीं दे रहा हुं, मैं सच्चे दिलसे आपका शुक्रिया अदा करता हुं क्यूंकी दांये हाथ का अंगूठा नहीं होनीकी वजह से, घरमें मटर छिलना, सब्जी काटना. सूईमें धागा पीरोना ऐसे ऐसे बोरिंग काम से मुज़े छटकने का बहाना मील गया है!”

“ओह, ये बात है? लेकिन फीर भी, इसकी वज़हसे तुम्हारी धर्मपत्नी तो जरूर मुज़ पे नाराज़ होंगी और हररोज मुज़े कोसती होगी!”

“अरे नहीं नहीं गुरुजी..वो तो बिलकुल नाराज़ नहीं है, वो तो आप पे बहोत ही प्रसन्न है और आपको याद कर कर के रोज दुआएं देती है!”

“है? ऐसा कैसे हो शकता है?”

“बहोत सिम्पल लोजीक है गुरुजी, में स्मार्ट फोन तो इस्तमाल करता हुं लेकिन दाहिने हाथ का अंगूठा नहीं होनेकी वजह से टचस्क्रीन फोन के साथ ज्यादा चीपकके नहीं रह शकता, वोट्सएप, फेसबुक का मर्यादित इस्तमाल कर शकता हुं, चेटींग वगैरह मेरे लिये बहोत मुश्कील है, और इसकी वजह से मीरी बीवी खुश है की आपने मेरा अंगूठा ले लिया!”

“हां…..ये तो बिलकुल सही बात है! ये तो कहानी घर घर की है, मेरे घरकी ही बात है, मेरे अस्वत्थामाथी बीवीको हररोज ये फरियाद रहती है की उसका पति उससे ज्यादा मोबाइल के साथ लगा रहता है!”




Sunday, May 10, 2015

લઘુકથા -મધર્સ ડે.

“લો આ પાછો મધર્સ ડે આવી ગયો, આ વખતે શું લખવાનો છો? કાંઇક એવું લખીને ફેસબુક પર પોસ્ટ કરજે કે લાઇક્સ અને કોમેન્ટ્સનો ઢગલો થઈ જાય દરવખતની જેમ!”

“ઑફકોર્સ ડાર્લિંગ.. તને તો ખબર છે ને મારી કલમનો જાદુ! ગયા વર્ષે મેં જે પોસ્ટ મૂકેલી એના પર કેટલી બધી કોમેન્ટ્સ આવેલી? અને કેટલાક લોકોએ તો એમ લખેલું કે આપનું આ સંવેદનશીલ લખાણ વાંચીને અમારી તો આંખો ભીની થઈ ગઈ!”

“આઇ હેવ પ્રાઉડ ફોર માય સ્વીટ હબ્બી…કેટલા બધા ફોલોઅર્સ છે તારા ફેસબુક પર! હું તો મારી ફ્રેન્ડ્સ પાસે ગર્વથી માથું ઊંચું લઈને વટ્ટથી કહું છું કે મારા વર જેટલું સંવેદનાસભર તો કોઇકજ લખી શકે!”

“સો નાઇસ ઓફ યુ માય લવ! મને કમ્પ્યુટરમાંથી મમ્મીનો એકાદો સરસ ફોટો શોધી આપજેને..આજના લખાણ સાથે મૂકવા માટે…”

“ડેડી..ડેડી..આજે સાંજે આપણે  ગ્રેન્ડમાંને મળવા જઈશું ને? કેટલા બધા દિવસ થઈ ગયા…આઈ મીસ હર સો મચ…”

“સ્ટુપિડ બોય! આજે નહીં પછી ક્યારેક…આજે મારે કેટલું કામ છે તને ખબર છે? આ તારા ડેડી લખી આપે પછી એના પર તૈયારી કરીને સાંજે લેડીઝ ક્લબમાં મધર્સ ડે વિશે સ્પીચ આપવાની છે..આ વખતે તો પેલી ચીબાવલી મિસીસ ઠાકુરનો નંબર આવવાજ નથી દેવો..ને તારે આ રીતે ફાલતુ ટાઈમ વેસ્ટ કરાવવો છે? જસ્ટ શટ અપ એન્ડ ગો ઈન્સાઈડ યોર રૂમ!”
             
                                                         *****************************************

છેવટે આજે પણ રોજની જેમ સૂરજદાદા મેર બેઠા, ધરતીએ અંધારાનાં આવરણ ઓઢી લીધાં.  કોઈ આવશેને આશામાં ઊંબરામાં બેઠેલાં ડોસી બારસાખને ટેકો દઈને હળવેથી ઊભાં થયાં ને નિસાસો નાખી ડગુમગુ થતાં ઓરડામાં જઈ ખાટલાને કિનારે બેસી, આસ્તેકથી ઓશીકા નીચે સંતાડેલ એક ફોટો કાઢી પહેલાં હોઠેને પછી છાતીએ અડાડ્યો. હળવેથી હાથ પસવારીને ફોટો પાછો ઓશિકા નીચે સરકાવીને સાડલાના છેડાથી આંખો લૂછી ત્યારે દૂરથી આવતો શિયાળની લાળીનો અવાજ છેક આ વૃદ્ધાશ્રમના ઓરડા સુધી સ્પષ્ટ રીતે સંભળાતો હતો....

Thursday, January 08, 2015

ઓસામા, બગદાદી, હાફિઝ સઈદ, યાકૂબ કૂરેશી વગેરે વગેરે...

 

  કલ્પના કરી જુઓ, ધારો કે પાકિસ્તાનમાં થયેલા કોઇ બોમ્બ વિસ્ફોટ કે પછી પેશાવર હુમલા જેવી કોઇ ઘટના માટે કોઇ કટ્ટર હિન્દુવાદીએ નેતા એ કાંડ કરનાર માટે કોઇ ઈનામ જાહેર કરે તો?

     સેક્યૂલારિઝમનો હોલસેલ ઠેકો રાખીને બેસેલ ૧૨૫ વરસ જૂની પાર્ટી અને છેલ્લાં કેટલાંક વર્ષોથી સેક્યૂલારિઝમનાં હાટડાં ખોલીને પોતાનો ધંધો ચલાવતી સડકછાપ પાર્ટીઓની પ્રતિક્રિયા શું હોય?

     પોતાને સેક્યુલારિઝમના એકમેવ સ્વઘોષિત પહેરેદાર જાહેર કરી દેનાર મીડિયાની પ્રતિક્રિયા શું હોય?

     ફાસીઝમ, હીટલરશાહી...બ્લા બ્લા બ્લા...કંઇક શબ્દોની ફેંકાફેકી ચાલુ થઈ જાય, નિવેદનોની ઉલટીઓનાં ઘોડાપૂર આવે, કેટલાકનું ચાલે તો છેક બ્રહ્માંડના બીજા છેડા સુધી ફરિયાદ લઈને પહોંચે અને બાબલા, બચુડિયાઓ દેશની લોકશાહી માટે હિન્દુઓ સૌથી મોટો ખતરો છે એવું ખાનગીમા વિદેશી રાજદૂતો સામે બોલવા લાગે!

     આજે જ્યારે બસપા ના યાકૂબ કૂરેશીએ ખુલ્લેઆમ, પેરીસ હત્યાકાંડના આરોપીને માટે ૫૧ કરોડના ઈનામની ઘોષણા કરી છે ત્યારે યાકૂબ કૂરેશીને ચોક્કસ જગ્યાએ લાત મારી, તગેડી મૂકી પોતાને સવાયાં સેક્યૂલર સાબિત કરવાનો સુશ્રી માયાવતી પાસે સોનેરી મોકો છે, પણ સુશ્રી એવું નહીં કરે, કદાપિ નહીં કરે, કારણ કે એમનાં સેક્યૂલારિઝમને જોવાનાં ચશ્માનો એક કાચ પહેલેથીજ ફૂટેલો છે!

     માત્ર સુશ્રી જ શા માટે, એમની પાર્ટીની ઘોર વિરોધી પાર્ટી એવી સપાના જનાબ આઝમખાન પણ આ અંગે એક શબ્દ નહીં બોલે, અપૂન કે મઝહબકી જો બાત હૈ..મિંયા!
બાકીના એટલે કે દિગુફિગુ, લાલુચાલુ કે નિતિશફિતિશ પણ કદાચ જો બોલશે તો એવા ટોનમાં જે ટોનમાં ઊલ્ટા ચશ્મામાં જેઠાલાલના કહેવાથી ક્યારેક દયા જે રીતે ટપુ પર ગુસ્સે થાય છે! " બેટા ટપુ....એવું નહીં કરવાનું!" વોટબેંકનો સવાલ છે ભાઇ!

     આ બધા બેવકૂફ વોટબેંક સામે નજર નાખીને હમેશાં મધલાળ ટપકાવતા જોતા રહ્યા ને જનતા સ્માર્ટ નીકળી. પગ નીચેથી સત્તાની જાજમ ક્યારે જતી રહી એ ખબર પણ ના પડી! જાજમ તો ગઈ પણ હવે સ્થિર ઊભા રહેવાય એટલી ધરતી પણ નહીં રહે એમ તો પણ સુધરે એ બીજા! અચાનક ડહાપણની દાઢ ફૂટી નીકળી અને પોતાના કાર્યકરોને કોંગ્રેસે પૂછવાનું ચાલુ કર્યું કે શું જનતા આપણને હિન્દુ વિરોધી માને છે? હજુ આ સવાલનો સરખો જવાબ આવે, એ પહેલાં તો આ અક્કલમઠ્ઠાઓએ પાકિસ્તાની બોટને લઈને પોતાને હિન્દુવિરોધીથી એક કદમ આગળ વધીને દેશવિરોધી અને પાકિસ્તાનપ્રેમી સાબિત કરી દીધા! સાલું, આવો હલકટ માનસિકતાવાળો  પક્ષ તો આપણા દેશમાંજ સંભવે જે ૨૬/૧૧ કે પછી ટેરર બોટ જેવી ઘટનાઓ વખતે આતંકવાદી હુમલાઓ કરાવનાર દેશને પ્રોત્સાહન મળે એવાં નિવેદનો કરે! જનતા છાતી પીટે છે કે આ એ લોકો છે જેને આપણે મત આપીને ૬૦ વરસ સુધી આપણા પર શાસન કરવા દીધું હતું!

     અબ્રાહમ લિંકનનું એક ચોટડૂક ક્વોટ છે કે ’અમુક લોકોને બધો સમય બેવકૂફ બનાવી શકાય અથવા બધા લોકોને અમુક સમય માટે બેવકૂફ બનાવી શકાય, પણ બધા લોકોને બધો સમય બેવકૂફ બનાવી શકાતા નથી.’ એ ન્યારે આ સેક્યૂલારિઝમના હોલસેલ ઠેકેદારોના પાપનો ઘડો આખરે ફૂટ્યો, વરસોથી દેશને એકહથ્થુ રીતે લૂંટનારાઓ જનતાની સામે ઉઘાડા પડ્યા અને પોતાના પાપના ભારથી જ જમીનદોસ્ત થઈ ગયા. ભાજપને કેન્દ્રમાં ૨૭૨+ સીટ મળી, ૩૦ વરસ પછી કોઇ એક પક્ષને સ્પષ્ટ બહુમતી મળી પણ એમાં ભાજપનું પ્રદાન છે એના કરતાં કોંગ્રેસનું વધારે છે! ઇલેક્શન ૨૦૧૪માં નરેદ્ન્ર મોદીની વાક્છટા, ગુજરાત વિકાસગાથાઓની કમાણીને ભાજપમાંથી બાદ કરી નાખો ને પછી ભાજપમાં શું વધે છે એ હિસાબ કરી જુઓ! મોટાભાગે તો એવું જ થયું છે કે કોંગ્રેસ પોતાની જાતેજ પોતાની લીટી ભૂસીને નાની કરતી ગઈ અને ભાજપની લીટી મોટી દેખાતી ગઈ! પણ કુદરતનો સંતુલનનો ન્યાય છે એ હમેશાં પ્રકૃતિમાં કામ કરેજ છે પોતાની ફરજ ચુક્યા વિના, એ ન્યાયે કોંગ્રેસ કે પછી બીજા કોઇ અત્યારે વિરોધ કરી શકે એવી સ્થિતિમાં પણ નથી રહ્યા તો સામે મોદી પાસે સાક્ષી મહારાજ છે, નિરંજના જ્યોતિ છે, વિ.એચ.પી છે અને બજરંગદળ છે, જે સમયાંતરે બફાટ કરીને મોદીને વિરોધપક્ષની કમી નથી ખલવા દેતા! સદીઓના ભૂખ્યાની સામે જાણે મિષ્ટાનવાળું ભાણું આવી જાય અને એના દર્શન માત્રથીજ એને અપચો થઈ જાય ને ઉલટીઓ કરવા માંડે એવા દશા છે!


     જોઇએ છે કે હવે આ મીડિયાને ઘરવાપસી, લવ જેહાદ, ચાર બાળકો, ગોડસે, હરામજાદા જેવા શબ્દોની સંતાકૂકડી રમવામાંથી કેટલો સમય મળે છે અને યાકૂબ કૂરેશીના ઘોર આતંકી કૃત્યમાં કેટલો રસ જાગે છે! આતંકી કૃત્ય કરતાં પણ આ યાકૂબ કૂરેશીને એક પગથિયું ઉપર મૂકવો પડે, આ આતંકીઓને સરાજાહેર ઈનામ જાહેર કરી દુનિયાના તમામ આતંકવાદીઓને ખુલ્લમ ખુલ્લા ઈજન આપ્યું છે કે ચલાવો તમતમારે કત્લેઆમ, આપણા વિચારોની જે સામે પડે એની! યાકૂબ કૂરેશી જેવા લોકો વિશ્વની શાંતિ માટે ઓસામા, બગદાદી કે પછી હાફિસ સઈદ કરતાં ઓછા ખતરનાક નથી, એને તાત્કાલિક હિરાસતમાં લઈને એના પર આતંકવાદ ફેલાવવાના આરોપ હેઠળ ભારતમાં અને ફ્રાંસમાં પણ કામ ચલાવવું જોઇએ, પણ એવું આપણા દેશમાં શક્ય છે? અલ્લા અલ્લા કરો, આવું થાય તો તો ભારતનું સેક્યૂલારિઝમ રસાતળ જતું રહે!


Sunday, December 14, 2014

મીડિયા V/s મીડિયા



   

     ભારતીય ઈલેક્ટ્રોનિક મીડિયાની વિશ્વસનિયતાનો ગ્રાફ છેલ્લા ઘણા સમયથી સતત ન્યૂટને શોધેલા ગુરૂત્વાકર્ષણના નિયમને અનુસરી રહ્યો છે. જોકે એના માટે ન્યૂટન બિલકુલ જવાબદાર નથી, ન્યૂટને કદાચ ગુરૂત્વાકર્ષણનો નિયમ ના શોધ્યો હોત તો લોકો કાંઈ જમીનથી અદ્ધર ના ચાલતા હોત, પણ એક સમયે જેને લોકશાહીનો ચોથા સ્તંભ હોવાનું સન્માન આપવામાં આવ્યું છે એ સામુહિક માધ્યમો પોતે માનસિક રીતે પોતે ચોથી જાગીર હોવાના કેફમાં જરૂર છે પણ છેલ્લા ઘણા સમયથી વારંવાર એનો ચહેરો ખુલ્લો પડતો રહ્યો છે અને એવું દેખાઇ રહ્યું છે કે એનું પતન તો ગુરૂત્વાકર્ષણનો નિયમ તો ઠીક પણ ગુરૂત્વાકર્ષણ ના હોત તો પણ નિશ્ચિત હતું કારણ કે એના પાયામાં ક્યારનોયે હરામની કમાણીના પૈસાનો લુણો લાગી ચૂક્યો છે અને છાપાં અને ટીવીના કમનસીબે, સોશ્યલ મીડિયાનું છત્ર બહુ ઝડપથી અને વિકરાળ રીતે વિસ્તરતું જાય છે.


અલબત્ત, એ વાત ખરી કે સોશ્યલ મીડિયાના આવ્યા પછી મીડિયાનાં જૂનાં અને પરંપરાગત માધ્યમોની પોલ વારંવાર ખુલતી રહી છે અને ખુલતી રહે છે એનો અર્થ એ નથી કે સોશ્યલ મીડિયા દૂધે ધોયેલું અને પવિત્ર છે! રોજેરોજ અનેક ઘટનાઓ એવી બને છે જેનાથી સોશ્યલ મીડિયાત્નો દુરૂપયોગ અને ઘાતકતા સામે આવતા રહે છે. આજે સોશ્યલ મીડિયાના પ્રસારની સાથે દરેક માણસ વ્યક્તિગત રીતે એક મીની મીડિયા બની ગયો છે ત્યારે એની અંદર વધારે સડો પેસે એ એકદમ સ્વાભાવિક છે સાથે સા્થે એક બહુ અગત્યની બાબત એ છે કે જે રીતે સોશ્યલ મીડિયા સાથે જોડાયેલા લોકોમાં બીજાં માધ્યમનોની વિશ્વસનિયતા ઘટી છે અને અળખામણાં થયાં એજ રીતે સોશ્યલ મીડિયા સાથે જોડાયેલો જણ સોશ્યલ મીડિયા પર આવતી માહિતી અંગે પણ પૂરેપૂરો સાશંક રહે છે અને નિરક્ષીર વિવેકનો ઉપયોગ કરીને સાચું શું અને ખોટું શું એ તારવતાં શીખી ગયો છે અમુક અંશે. જ્યારે ટીવી ચેનલ્સ દર્શકો અને છાપાંઓના વાચકો (જે સોશ્યલ મીડિયા સાથે જોડાયેલા નથી) એમની પાસે સત્યને ચાળવાની ચાળણી હોવાની સંભાવના બહુ ઓછી થઈ જાય છે અને મોટા ભાગે છપાયેલું કે પછી દેખાડાયેલું ને સંભળાવાયેલું માની લેવા સિવાય એની પાસે બીજો કોઇ વિકલ્પ નથી.

એક રસપ્રદ બાબત એ છે કે સોશ્યલ મીડ્યા સાથે જોડાયેલા મોટા ભાગના લોકો, લગભગ તમામ લોકો, મીડિયાના અન્ય દ્રશ્ય-શ્રાવ્ય અને વાચ્ય માધ્યમો સાથે પણ જોડાયેલા છે અને પોતાના હાથમાં સોશ્યલ મીડિયા નામનું બ્રહ્માસ્ત્ર હોવાના ગુમાન સાથે (અને કારણે) બીજાં માધ્યમોને આલોચકની તીખી નજરે જોતા રહે છે અને જેવો મોકો મળે કે તરતજ સોશ્યલ  મીડિયા પર અન્ય માધ્યમોનું વસ્ત્રાહરણ કરતા રહે છે. પરંતુ આપણા દેશમાં જ્યાં ઈન્ટરનેટ અને કમ્પ્યુટરનો વપરાશ હજુ વિકસિત દેશોના પ્રમાણમાં પાપા પગલી ભરે છે ત્યારે સ્વાભાવિક કે છે દેશના ઘણા વિસ્તારો હજુ ટીવીથી પણ વંચિત છે એ સંજોગોમાં એમના માટે છાપાં અને રેડિયો બોલે એ બ્રહ્મવાક્ય છે જ્યારે જ્યાં સુધી સોશ્યલમીડિયા નથી પહોંચ્યું ત્યાં જે ટીવી દેખાડે એજ સનાતન સત્ય છે. એટલે જે રીતે સોશ્યલ મીડિયા સાથે જોડાયેલા તમામ લોકો અન્ય માધ્યમોની પણ જાણકારી રાખે છે એનાથી ઉલ્ટું, ટીવી અને સમાચારપત્રો સાથે જોડાયેલી દેશની મોટાભાગની વસ્તી સોશ્યલ મીડિયાથી વંચિત છે! મતલબ કે દેશમાં બહુ ઓછો વર્ગ એવો છે કે જેની પાસે સોશ્યલ મીડિયા નામનું એરણ છે જેની કસોટીએ ચડાવીને એ અન્ય માધ્યમો દ્વારા પિરસાતી સામગ્રીની યથાર્થતાને ચકાસી શકે. ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા પાસે મનમાની કરવાનું આ સૌથી મોટું કારણ છે!

સોશ્યલ મીડિયા પર સોશ્યલ મીડિયા વિરૂદ્ધ અન્ય માધ્યમોનો જંગ સતત ચાલતો રહે છે અને અન્ય માધ્યમો સોશ્યલ મીડિયાને તુચ્છ કીડી સમાન અને પોતાને મદમસ્ત હાથી માનીને પોતાની મસ્તીમાંજ ચાલતા રહે છે ને વારંવાર એવું થતું રહે છે કે આ તુચ્છ ચીંટી હાથીના કાનમાં ઘુસી જઈને એના મર્મસ્થાન પર ચોટ પહોંચાડી એને હચમચાવી મૂકે છે. વર્તમાન સમયનું સૌથી મોટું ઉદાહરણ અભિષેક મનુ સિંઘવી વાળી ઘટના છે જ્યારે તમામ અન્ય મીડિયાના મોઢામાં હજાર હજારની નોટના ડટ્ટાઓ ઠૂંસી દેવામાં આવેલા એટલે એ બિચારું કશું બોલી નહોતા શકતું એ સંજોગોમાં સોશ્યલ મીડિયાએ પોતાની તાકાત દેખાડી અને અભિષેક મનુ સિંઘવીની ફિલમ રિલીઝ થઈ ગઈ ને અન્ય માધ્યમોની ફિલમ ઉતરી ગઈ! પછીતો કહેવુંજ શું, પોતાનું વસ્ત્રાહરણ થતાં ધુંધવાયેલું અને ગિન્નાએલું ઈલેક્ટ્રોનિક મીડિયા એક થઈને સોશ્યલ મીડિયા પર તૂટી પડેલું. સોશ્યલ મીડિયા નિરંકુશ છે, ઘાતક છે, અંકુશ જરૂરી છે બ્લા બ્લા બ્લા..ડિબેટો દિવસો સુધી ચાલેલી ને છેવટે સમય નામની બર્નોલે એની અગન શાંત પાડેલ! તાજેતરની એક ઘટનામાં અમેરિકામાં ભારતના એક પત્રકારે ત્યાંના નાગરિકો સાથે કરેલી બદતમીઝીના વીડિયોને એડિટ કરી પોતાને અનુકુળ આવે એટલી ફિલમ બતાવી મીડિયાએ સમાજને પોતાના ચશ્મા પહેરાવીને દેખાડવાની ભરપૂર કોશીશ કરી પણ અહીં પણ વળી પાછું સોશ્યલ મીડિયાએ બનેલી ઘટનાની આખી ફિલ્મ રીલીઝ કરીને લાગતા વળગતાઓની પોલ ખોલી નાખેલી!


પોતાના પર જરા સરખું નિયંત્રણ આવતાં ’કટોકટી’ ’ફાસીઝમ’ ’સરમુખ્યારશાહી’ જેવા શબ્દોની ફેંકાફેંકી કરીને કાગારોળ કરી મૂકતું મીડિયા, સોશ્યલ મીડિયા પર નિયંત્રણ મૂકવાની વકિલાત કરે છે! અલબત્ત, સોશ્યલ મીડિયાએ પણ છેલ્લા કેટલાક સમયમાં પોતાનો જે ચહેરો અને ચાલચલગત બતાવી છે એ કોઇ પણ સમજદાર માણસને એ માનવા પ્રેરે કે આ નિરંકુશ  માધ્યમને પણ કોઇ અંકૂશની જરૂર તો છેજ. મ્યાનમારમાં બનેલી ઘટનાઓને કારણે મુંબઈને પેટમાં પીડા ઉપડતી હોય કે યુપીના મુઝફ્ફરનગરમાં બનતી ઘટનાઓ પાછળ, જેને કાંઈ લાગતું વળગતું નથી એવી વીડિયો ક્લીપ જવાબદાર હોય, ત્યારે આ સોશ્યલ મીડિયાનો વિકૃત ચહેરો સામે આવ્યો છે. ગઈ કાલે બેંગલુરુથી ઝડપાયેલ મહેંદી મસરૂર જે છેલ્લા ઘણા સમયથી દુનિયાના સૌથી ખતરનાક આતંકી સંગઠનનું ટ્વીટર એકાઉન્ટ ચલાવતો હતો એ ઘટનાએ સોશ્યલ મીડિયાના દુરુપયોગ અને અંકૂશ અંગે બહુ ગંભીરતાથી વિચારવાની ફરજ પાડી છે. જોકે એ હકીકત સ્વીકારવી જોઇએ કે જેના સર્વરનું નિયંત્રણ વિદેશથી થાય છે એવી સોશ્યલ સાઈટો પર સરકાર સંપૂર્ણ નિયંત્રણ કરી શકે એ શક્ય નથી, પણ એટલું જરૂર કરી શકાય કે જે રીતે અન્ય જગ્યાએ કેવાયસી ડોક્યુમેન્ટસનું વેરીફિકેશન જરૂરી છે એ રીતે સોશ્યલ મીડિયા પર એકાઉન્ટ ઓપન કરવા માટે પણ ફોટો આઈડી અને સરનામું જેવા પુરાવાઓ ફરજીયાત કરી દેવા જોઇએ. આનાથી ઘણાખરા અંશે સોશ્યલ મીડિયા પર અંકૂશ ચોક્કસ રાખી શકાશે. બાકી ટેલિવિઝ્ન અને પ્રિન્ટ મીડિયા જે પ્રકારનું નિયંત્રણ સોશ્યલ મીડિયા પર ઈચ્છે છે એતો કોઇ પણ સંજોગોમાં શક્ય નથી!

સોશ્યલ મીડિયા પર નિયંત્રણ આવે કે ન આવે પણ એટલું ચોક્કસ છે કે આગામી સમયમાં ઈલેક્ટ્રોનિક-પ્રિન્ટ મીડિયાએ પોતાનું વલણ બદલવું પડશે, સુધરવું પડશે અને સમજી લેવું પડશે કે હવે ધનના ઢગલા નીચે સત્યને દબાવી દેવું શક્ય નથી, કારણકે આવનારા સમયમાં સ્માર્ટ ફોનના વપરાશની સાથે સાથે સોશ્યલ મીડિયાનો વ્યાપ વધીને ઘર ઘર સુધી પહોંચવાનો છે અને સ્માર્ટ ફોન ધરાવનાર હરતો ફરતો દરેક વ્યક્તિ એક મીડિયા બનીજ ગયો છે!

ઊંબાડિયું:
જે કોઇ અન્ય મીડિયા સોશ્યલ મીડિયાની વિરૂદ્ધમાં હોય એને એન્ટી સોશ્યલ કહેવાય?



Thursday, November 20, 2014

રામપાલ કે હરામપાલ?

   
    આ દેશની વિટંબણાએ છે કે આઝાદીના ૬૭ વર્ષ પછી પણ કોઈ ઠગ, મવાલી કે લફંગો જ્યારે સાધુનો વેશ ધારણ કરે છે ત્યારે પોતાની આજુબાજુ લાખો અંધ ઘેટાંઓ ભેગાં કરી શકે છે, ને એ પણ એવાં સમર્પિત ઘેટાંઓ જે આ ચારસોવીશને બચાવવા માટે પોતાના દેશ સામે યુદ્ધમાં ઉતરી જાય છે! ગઈ કાલે ચૌદ ચૌદ દિવસના હાઈવોલ્ટેજ ડ્રામા અને કરોડો રૂપિયાનાં આંધણ પછી એક બે બદામના લબાડે સવાસો કરોડના આ દેશ સામે છેડેલા યુદ્ધનો અંત આવ્યો.

     હા, આ યુદ્ધ જ હતું. હરીયાણા પુલીસે તો હજુ ગઈ કાલે રાષ્ટ્ર સામે યુદ્ધ છેડવાની કલમ રામપાલ સામે લગાડી પણ આ લખનારે ચાર દિવસ પહેલાં ટ્વિટ્ટ કરીને કહેલું કે આ બગાવત છે, દેશ સામે યુદ્ધ છે. દેશના બંધારણ અને કોર્ટની ઐસી તૈસી કરવી, પોતાની ખાનગી સેના ઊભી કરવી અને રાજ્યની પોલીસ સામે ગોળીબાર કરવો, પેટ્રોલ બોમ્બ અને એલપીજી બોમ્બનો મારો કરવો, યુદ્ધ કે રાષ્ટ્રદ્રોહમાં આનાથી વિશેષ બીજું શું હોઇ શકે? અલબત્ત, આ આખી ઘટનામાં તદ્દન મજબૂરીની અવસ્થામાં મૂકાઈ ગયેલ હોવા છતાં હરીયાણા પોલીસે જે રીતે સંયમ અને કુનેહથી કામ લીધું એ ખરેખર પ્રસંશાને પાત્ર છે, પણ મીડિયાને માટે માત્ર એના પત્રકારોને પડેલા ડંડા વધારે અગત્યના છે! જ્યારે આશ્રમની અંદર પંદર હજાર જેટલા લોકોને બંદી બનાવાયેલા હોય, હિજડા બાબાએ આશ્રમની બહાર હજારો સ્ત્રીઓ અને બાળકોને ઢાલ બનાવ્યા હોય, એ સંજોગોમાં પોલીસ પર નકામી હોવાનું, કાંઈ કરતી ના હોવાનું આળ મૂકીને તીરે બેસીને તમાશો જોતાં જોતાં ચિલ્લાવું સહેલું છે, પણ તટસ્થ રીતે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને ખરેખર રાજ્ય સરકાર અને પોલીસ જે કંઇ કરી રહી છે એ કેટલા અંશે યોગ્ય કે અયોગ્ય છે એ સમજવું પણ એટલું બધું અઘરું નથી શરત એ છે કે દાનત હોવી જોઈએ અને પક્ષીય પૂર્વગ્રહોથી મૂક્ત થવું પડે! પણ આપણા દેશમાં, રાજકિય ચશ્મા ચડાવેલા ગદ્દારોને આજે પણ હજુ કંદહાર કાંડમાં દુશ્મન દેશની ધરતી પર બંધક બનાવાયેલા ૩૦૦ જેટલા મુસાફરોની જીંદગી અને એના સેંકડો સગાવહાલાંની વ્યથા ના દેખાતી હોય પણ દેખાય માત્ર દેશના નાગરીકોને બચાવવા માટે છોડી મૂકાયેલા આતંકવાદીઓ!

     અમારા પિતાજી પાસેથી એક વાત સાંભળેલી. એક ગામમાં એક ઘરે એક બ્રાહ્મણ માંગવા આવ્યો એટલે એ ગરીબ ખેડૂતે પૂછ્યું, “મહારાજ સી્ધો લેશો કે પછી જમશો?” મહારાજે એક આંખ ફાંગી કરતાં લાલચથી કહ્યું,”પહેલાં જમાડીને પછી સીધો આપજો જજમાન!” પેલા ખેડૂતને બિચારાને ઘરમાં હાંલ્લાં કુશ્તી કરતાં હતાં એટલે એનાથી હાયકારો નીકળી ગયો,”અહો, મહારાજ..તો તો હું મરીજ જાઉં!” મહારાજ ક્યાં ઓછો ઉતરે એમ હતો! એ કહે, “ જો તું મરી જા તો કારજ પણ ખાઈને જાઉં!” આપણા દેશમાં જ્યારે પણ કંદહાર કે પછી હિસાર જેવી સ્થિતિ ઊભી થાય છે ત્યારે વિપક્ષ આ પ્રકારનાજ મુર્દાખોરના રોલમાં આવી જાય છે, પાડોશીનો છોકરો આંબા પર ચડ્યો છે જે બધું બરાબર રહ્યું કેરી ખાશું નહીંતર કારજ! રામપાલના કિસ્સામાં, છેલ્લા એક અઠવાડિયાથી તડાપીટ બોલાવતા મીડિયાવાળા અને કોંગ્રેસીઓ એક વાત ઈરાદાપૂર્વક ભૂલી ગયા કે રામપાલે જે કાંઈ એનું સામ્રાજ્ય ઊભું કર્યું, જે  રીતે  જમીનો હડપ કરી ને પોતાની શસ્ત્રસજ્જ આર્મી બનાવી એ કાંઇ બેચાર મહિનામાં તો નથી થયું, તો પછી બે મહિના જૂની સરકાર પર તમામ દોષનો ટોપલો ઢોળવાનો અર્થ શો? કોંગ્રેસનું વલણ તો સમજી શકાય એ એતો એમજ કરે, પણ મીડિયાએ આ બાબતે તટસ્થ વલણ રાખીને સત્યનો પક્ષ લેવાની જરૂર હતી. પણ વો દિન કહાં!

     આ દરમિયાનમાં સોશ્યલ મીડિયામાં પણ બન્ને સાઈડની સડેલી માનસિકતા સ્પષ્ટ રીતે દેખાઇ આવી. ઈટાલીભક્તો એકદમ અતાર્કિક કહી શકાય એવે સરખામણી કરીને સવાલ ઉઠાવતા હતા કે પાકિસ્તાનમાંથી દાઉદને પકડી લાવવાના પડકારો થાય છે એને દેશમા રહેલો એક રામપાલ પકડાતો નથી! ત્યારે અદ્દ્લ કંદહારની જેમજ એ કોંગ્રેસીઓને માટે, અહીં પણ આશ્રમમાં રહેલા પંદર હજાર જેટલા લોકો કે પછી આશ્રમની બહાર પાખંડી બાબાની ઢાલ બનીને ઊભેલાં સ્ત્રીઓ અને બાળકોની જીંદગીની કોઇ કિંમતજ નહોતી, અને સાથે સાથે મનમાં એક વિચારીને મલકાતા હતા કે અમારા હુડ્ડાના રાજમાં છેલ્લાં વર્ષોમાં જે કાંઈ પણ સડો થયો છે એ તમારે આ બે મહિના જૂની સરકાર કેવી રીતે મટાડે છે એ જોઇએ! બીજી બાજુ, આવા આસારામ કે પછી રામપાલ જેવા લફંગાઓની સાથે કાંઇ પણ લાગતું વળગતું ના હોવા છતાં, એ માત્ર હિન્દુ ધર્મના કોઇ સંપ્રદાયના પ્રતિનિધિ છે એટલા ખાતરજ કેટલાક લોકોને એનાં પાપની લીટી ટૂંકી કરવાની આત્મવંચનામાં અચાનક બુખારી અને ઓવેશી સાંભરી આવે છે!

     હરીયાણા પોલીસ સામે પરિસ્થિતિ ખરેખર ખતરનાક હતી. એક બાજુથી કોર્ટેની વારંવાર ફટકાર વાગતી હતી, બીજી બાજુ મીડિયા ખાઈ પી ને પાછળ પડેલું અને કોંગ્રેસવાળાને તો આવી પરિસ્થિતિ જોઇતીજ હોય! આ સંજોગોમાં, સામે સ્ત્રીઓ અને બાળકો હોય અને પગલાં લેવાં પડે ત્યારે ક્યારેક કયાંક એવું પણ બને કે થોડું વધારે કડક થઈ ને નીતિ નિયમો નેવે મૂકવા પડે એવામાં જાણે અજાણે કે પછી મજબૂરીવશ માનવઅધિકારોનો ભંગ પણ થાય ત્યારે સ્વાભાવિક છે કે પોલીસ એવું ઈચ્છે એકે મીડિયાના કેમેરા દૂર રહે. પણ માત્ર ટીઆરપી પર જીવતા આ પ્રાણીઓને પરવડે ખરું? ને છેવટે પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો ને પરિણામી મીડિયા સંપૂર્ણપણે યુ ટર્ન મારીને સામેના છાબડે બેસી ગયું! રામપાલ સામે ઉગામેલો દંડો હળવો થઈ ગયો ને પોલીસ અને હરીયાણા સરકાર સામે ગદા ઉપાડી! છતાં આ તમામ વિપરિત કહી શકાય એવી પરિસ્થિતિની અંદર હરીયાણા પોલીસે જે રીતે સંયમથી કામ લઈને ઓછામાં ઓછા કોલેટરોલ ડેમેજ સાથે જે રીતે રામપાલને પકડ્યો એ ખરેખર પ્રસંશાને પાત્રજ છે. સામે આ રામપાલ સામે દેશદ્રોહ સહિતની જે પ્રકારની કલમો પોલીસે લગાડી છે એ જોતાં એ આવનારાં ઘણાં વર્ષો સુધી બહાર આવે એવે શક્યતા ઓછી છે, પણ મને આ દેશની જનતા પર પૂરો ભરોસો છે, આગામી એક બે વરસમાં એ નવો રામપાલ કે પછી બીજો આસારામ પેદા કરીજ લેશે!

Friday, September 26, 2014

"બે યાર....આવું તે કાંઇ હોતું હશે?" ભાગ-૨

ઝુકર પ્રભુ તો ગયા, મારી નીંદર બગાડીને ને મને ધંધે લગાડીને! જે મૂવીને રિલીઝ થયે ચાર વિક થઈ ગયાં હોય, જેનાં બે-પાંચ હજાર રિવ્યૂ લખાઇ ચૂક્યા હોય, એનો રિવ્યૂ લખો એટલે કોક ને કોક કાંઠલો ઝાલે કે આતો મેં લખ્યું ’તું એની કોપી કરી! પણ સામે, ન લખવા બદલ જે ભયાનક કાર્યવાહીની ધમકી હતી એ જોતાં ’કોપી’ કર્યાની ગાળ ખાઈ લેવી સારી એમ માનીને કલમ, સોરી, કી બોર્ડ ઘસડવાનું ચાલુ કરું છું….

ફિલ્મમાં આમતો બે નહીં પણ ત્રણ યાર છે પણ પ્રોડ્યૂસર કે પછી ડિરેક્ટરને લાગ્યું હશે કે ત્રણનો આંકડો અપશુકનિયાળ કહેવાય, એટલે પછી ફિલ્મનું નામ ’બે યાર’ રાખ્યું હશે એમ માની શકાય. (બે…યાર! સમજા કરો!). આ ફિલ્મના કાસ્ટીંગની શરૂઆત ઊંધેથી થઈ હશે એવું લાગે છે, કારણ કે ટીનીયાની સામે જિગલી છે, જાડીયાની સામે બુકાની છે પણ ચકાનો વારો આવતા સુધીમાં બજેટ ખતમ થઈ જાય છે અને ચકીની વ્યવસ્થા થઈ શકતી નથી! જેના કારણે આખી ફિલ્મ “આવતી કાલે મોર અને ઢેલ લગનના માંડવામાં બંધાઈ જશે..” “કેટલાંક રૂપજ એવાં હોય છે કે જેને ધરાઈ ધરાઈને પીવાનું અને પછી બોલવાનું મન થાય…” “હું તમારી બન્ને પાપણ નીચે મારી પ્રિતનાં તોરણ ટીંગાયેલાં જોઇ શકું છું..” જેવા સર્વકાલિન રસપ્રચૂર સંવાદોની વંચિત રહી જાય છે!

ફિલ્મની શરૂઆતમાં લાભુ માતાજીની એન્ટ્રી થાય છે ત્યારે એમ લાગે છે કે એક મહાન ધાર્મિક ફિલ્મ જોવા મળશે! પણ જ્યાં તમે શ્રદ્ધાથી હાથ જોડી, આંખ બંધ કરી…(નહીં નહીં..આંખ બંધ થાય તો ફિલ્મ કેમ જોઇ શકાય? એટલે આંખ બંધ કરવાનું કેન્સલ!) ભક્તિભાવપૂર્વક ફિલ્મની સાથે તાદાત્ય્મ સાધો છો ત્યાંતો ફિલ્મ ઊંધે માથે પછડાય છે અને ડિરેકટરની આ “મેં ઈધર જાઉં, યા ઉધર જાઉં..” પ્રકારની ચંચળ મનોવૃત્તિનો ભોગ બિચારા ભોળા પ્રેક્ષકો બને છે અને એક મહાન ધાર્મિક ગુજરાતી ફિલ્મના પુણ્યથી વંચિત રહી જાય છે!

ખેર, ફિલ્મમાં આવતી (કે આવતો?) લાભુ માએ ભલે લોકોનાં સપના પૂરાં ના કર્યાં પણ આ ફિલ્મે અમારી જીંદગીનાં મોટામાં મોટાં બે સપનાં પૂરાં કર્યાં છે. મેડિકલ રિપ્રેઝન્ટેટીવ તરીકે પાંચ વરસ બગાડનારા અમોને એક વાતનો હમેશાં અફસોસ રહેતો કે કોઇ ફિલ્મના હીરો તરીકે એમ.આર. શા માટે નહીં? હીરો રિક્ષાવાળો, રેંકડીવાળો, શાકભાજીવાળો, પાકિટમાર, ચોર હોય પણ એમ.આર. નહીં! ગુજરાતી તો ઠીક પણ કોઇ હિન્દી ફિલ્મમાં પણ નહીં! કોઇ પ્રોડ્યૂસર કે ડિરેક્ટર એકાદવાર ફિલ્ડમાં જઈને જાતે અનુભવ કરે તો ખબર પડે કે એક એમ.આર.ની જોબ, ઉપર દર્શાવેલ કામ કરતાં કેટલી બધી સંઘર્ષપૂર્ણ છે! છેવટે અભિષેક જૈને અમારું આ સપનું પુરું કરી દીધું ને સાથે સાથે એનાથી પણ મોટું એક સપનું પણ પુરું કર્યું. એમ.આર. તરીકે અમો ડૉક્ટર્સના હાથે હડધૂત થતા, મેડીકલ સ્ટોરવાળાના હાથે અપમાનિત થતા ત્યારે અમને જાગતાં, ખુલ્લી આંખે એક સપનું આવતું કે એકવાર, બસ એકવાર કોઇ એક ડોક્ટરને ચોક્કસ જગ્યાએ લાત મારવા મળે અને પછી એને “હડ્ય..હડ્ય..”  કહી દઉં! પણ એ કદી શક્ય બન્યું નહીં. “બે યાર”માં ચકો અને ટીનીયો જે રીતે ડોક્ટરની ચેમ્બરમાં પાવો વગાડે છે, જે રીતે ડોક્ટરને બોલતા અટકાવીને ઊંચા અવાજે સામે બોલી અપમાન કરે છે, જે રીતે ડોક્ટરની હાજરીમાંજ પેશન્ટને ધમકાવે છે, એણે અમારા એમ.આર.ભાઇઓના યુગો યુગોથી થતા અપમાનનો બદલો લઈ લીધો છે! મારું ચાલે હું ખાલી આ એક સીન માટેજ આ ફિલ્મને ઓસ્કર આપી દઉં! અલબત્ત, ફિલ્મોના ઈતિહાસમાં આ કદાચ પહેલી ફિલ્મ એવી હશે કે જેમાં હીરો, હીરોઇન સામે પાવો વગાડવાને બદલે ડોક્ટરને રિઝવવા પાવો વગાડે છે! જોકે આ અંગે અમારા ગરબડદાસનું કહેવું એવું છે કે મદારી જે હેતુથી મોરલી વગાડે છે એવું આમાં સમજવું!

ફિલ્મમાં જેમ ચકો અને ટીનીયો, એમ.આર. તરીકે માત્ર એકજ ડોક્ટરને મળે છે એજ રીતે ચકાના બાપાની હોટેલમાં આખી ફિલ્મમાં આ ત્રણ મફતિયા, ચકો, ટીનીયો અને ઉદય સિવાય કોઇ ઘરાક નથી, બોલો! અને કોઇ ઘરાક નથી આવતા એ ગમમાં ચકાના બાપા જીતુભાઇ, સામેની ભીંતે ટિંગાડેલા પેઈન્ટિંગને જોઇ જોઇને દિવસો કાઢે છે, પણ પછી ચકાની મુર્ખામીને કારણે જીતુભાઇનું એ એકમાત્ર સુખ, ઘરાક વિનાની દુકાનમાં સમય પસાર કરવાનો એકમાત્ર સહારો પણ છિનવાઈ જાય છે અને એના આઘાતને કારણે જીતુભાઇનું માનસિક સંતુલન એટલું બધું ગરબડ થઈ જાય છે કે ખરેખર સારું શું અને ખોટું શું એ ભૂલી જાય છે અને પોતાનું દુ:ખ ભૂલવા પોતાના સગ્ગા દીકરાને દારુના રવાડે ચડાવી દે છે! (શીસ્સ….ચૂપ..કોણ બોલ્યું કે એ દારુવાળા સીને વખતે જીતુભાઇને તો પેઇંટીંગની વાત ખબર પણ નહોતી!)

બાપાની પ્રેરણાથી દારુની લતે ચડી ગયેલો ચકો, સારા નરસાનું ભાન ભૂલી જાય છે અને ખાસ ભાઇબંધ ટીનીયા સાથે મારા મારી કરી બેસે છે. એ પછી નશો ઉતરતાં એને પસ્તાવો થાય છે અને લાગે છે કે આમાં બધો વાંક એના બાપનોજ છે, એના બાપ જીતુભાઇને એને દારુની લતે ચડાવ્યો તો એને ટીનીયા સાથે ઝગડો થયો ને! એટલે પછી ચકો પોતાના બાપા સાથે ડખો કરે છે! છેવટે એને સમજાય છે કે આમાં બાપાનો પણ વાંક નથી પણ બધાના મૂળમાં પેલું પેઈન્ટીંગ છે, એટલે એ ભિષ્મ પ્રતિજ્ઞા કરે છે અને ગાંધીને ફોન પર પોતાની “મારીને મૂકી દેવાની” પ્રતિજ્ઞા સંભળાવે પણ છે. અહીથી વાય બી ગાંધીને પાડી દેવાનું પ્લાનિંગ ચાલુ થાય છે અને એમાં જોડાય છે ’વીર તાંબાના હાંડા-ઘડા વાળો’ પ્રબોધ ગુપ્તા. એક વાત તો ખરેખર અદ્‌ભૂત છે કે આ પ્રબોધ ગુપ્તા નામના તાજા જન્મેલા ચિત્રકારનો પ્રોફાઇલ આ લોકો એટલો સ્ટ્રોંગ બનાવે છે કે એનો ઈન્ટર્વ્યૂ કરનાર જય વસાવડા જેવા, પોતાને હમેશાં છેલ્લામાં છેલ્લી માહિતીથી અપડેટ રાખતા, ગુજરાતના સૌથી લોકપ્રિય લેખકને પણ ખ્યાલ નથી આવતો કે આ હજુ બે દા’ડા પહેલાં પેદા થયેલો ચિત્રકાર છે!

છેવટે ચકો, ટીનીયો, જીગલી, બુકાનીવાળીનો ઉદયો અને આ તાંબાના હાંડા-ઘડાવાળો ભેગા થઈને વાય બી ગાંધીનો ઘડો લાડવો કરી નાખે છે અને જીતુભાઇને પોતાની ઘરાક વિનાની દુકાનમાં સમય પસાર કરવાનો સહારો પાછો મળી જાય છે. આમ લાભુ માંની કૃપાથી સૌ સારાં વાના થાય છે. લાભુ માં ચકા ટીનીયાને ફળ્યાં એવાં સૌને ફળજો!

ફિલ્મ જોઈને આવેલા અમારા ગરબડદાસે આવીને મને સવાલ કર્યો, “ આ ફિલ્મમાં બધાની(___) ચાયનિઝ છે?”

“કેમ તમને એમ લાગ્યું ગરબડદાસ?” મેં સામો સવાલ કર્યો.

તો ગરબડદાસ કહે, “બધાની કેવી તકલાદી છે! વાતે વાતે ફાટી જાય છે!”
_____________________________________________________________

લખ્યા તારીખ: ૨૪.૦૯.૨૦૧૪.

"બે યાર....આવું તે કાંઇ હોતું હશે?" ભાગ-૧

હજી તો માંડ જરીક આંખ લાગી હતી ત્યાં ધડામ દઈને ઢીંઢા પર કાંક વાગ્યું. પડખું ફરીને આંખ ચોળતાં ચોળતાં જોયું તો પાંચ હાથ પૂરો ને વાને ઉજળો એક જણ હાથમાં ગદા લઈને ઊભો છે. બોસ, થોડીવાર માટે તો લિટરલી આપણી ફાટી ગઈ! યમદૂતનાં તેડાં આવી ગયાં કે શું? પણ ના ના…જમડા આવા રૂપાળા તો નોજ હોય, કોઇ સીરિયલમાં કે ફિલમમાં આવો હેન્ડસમ જમ કે જમદૂત જોયો નથી, આ ઈતો નથીજ. પણ રખેને નવી ભરતી થઈ હોય!

“દુષ્ટ, નાલાયક…તારી આવી ગુસ્તાખી?” આગંતુકે ગુસ્સાથી ગદા ઉગામતાં બરાડો પાડ્યો. હવે મારી આંખ બરાબર ઊઘડી ગઈ, આગંતુકનો ચહેરો જાણીતો લાગ્યો. જરી વધારે ધ્યાનથી જોયું તો…

“અરે..અરે…ઝુકર પ્રભુ, આપ સાક્ષાત! આપ સાક્ષાત મારે આંગણે? હું તો ધન્ય થઈ ગયો!”

“હવે ધન્યવાળી…તારો ફોન કેમ સ્વિચ ઓફ આવે છે? મારે રૂબરૂ ધક્કો ખાવો પડ્યો!”

“પ્રભુ, આ રાજકોટ છે, અહીં બપોરે ૧.૩૦ થી ૩.૩૦ બધાના ફોન સ્વિચ ઓફ થઈ જાય છે…”

“હેં? હેં? હે? એવડું મોટું જામર લગાડેલું છે? પણ જામર પણ માત્ર નેટવર્ક ખોરવાનું જ કામ કરી શકે, આ એવી કેવી નવી ટેકનોલોજી છે કે જેનાથી બે કલાક માટે લાખો ફોન સ્વિચ ઓફ થઈ જાય? “

“ અરે ના પ્રભુના, એવી કોઇ ટેક્નોલોજી નથી. આતો બપોરે અમારા રાજકોટવાળાના જઠરની બેટરી જેવી રિચાર્જ થાય એવુંજ દિમાગનું નેટવર્ક ખોરવાઈ જાય છે અને બધા બે કલાક માટે સુષુપ્તાવસ્થામાં ચાલ્યા જાય છે. બીજા પ્રદેશના અદેખા લોકો આને બપોરની ઊંઘ કહીને અમને બદનામ કરે છે…”

“ઠીક છે ઠીક છે, બહુ હોશિયારી ના માર..તું તારી જાતને એટલો બધો હોશિયાર માને છે કે ગુજરાતનો ફેસબુકનો નિયમ તોડવાની ગુસ્તાખી કરે છે?”

“ક્ષમા કરો પ્રભુ, મને કાંઇ ખ્યાલ નથી, અજાણતાં મારાથી કોઇ અપરાધ થઈ ગયો હોય તો ક્ષમા કરો..આપ જણાવો કે મારાથી શું અપરાધ થયો છે અને પ્રાયશ્ચિત આપો..”

“હે ગુસ્તાખ ફેસબુકિયા મનુષ્ય, ગુજરાતના મોટા ભાગના ફેસબુકિયા મૂવી જોઈ આવ્યા પછી સૌ પ્રથમ ધાર્મિક શ્રદ્ધાથી જે કાર્ય કરે છે તે હજી બે બે દિવસ વિતી જવા છતાં તેં કર્યું નથી! તારી આવી હિંમત?”

“કયું કાર્ય પ્રભુ? હું કાંઇ સમજ્યો નહીં!”

“જા જા..બહુ ભોળા બનવાનું નાટક ના કર, ભૂતકાળમાં તો તેં પણ આ નિયમ બરાબર પાળ્યો છે. આ વખતેજ ચૂકી ગયો!”

“કયો નિયમ પ્રભુ? જરીક ફોડ પાડીને વાત કરો તો સારું!”

“બહુ હોશિયારી ના માર, આ પહેલાં તું જ્યારે પણ મૂવી જોઇને આવ્યો છે ત્યારે તું ક્યારેય એનો રિવ્યૂ લખવાનું ચૂક્યો નથી ને આ વખતે બે દિવસ વિતી જવા છતાં હજુ તારી વોલને ’બે..યાર’ના રિવ્યૂથી ધન્ય નથી કરી!”

“ઓહ પ્રભુ, તો એમ વાત છે! અ વખતે મેં લખ્યું નથી એનું કારણ એ છે ઝુકર પ્રભુ, કે હું આ મૂવી છેક ચોથા વિક માં જોવા ગયો, ત્યાં સુધીમાં બાકીના બધા ફેસબુકિયા વિવેચકોએ આ મૂવી અંગે એટલું બધું વિશ્લેષણ કરી નાખ્યું (મૂવીની ઘણી ખૂબીઓ અને વિશેષતાઓ તો અભિષેક જૈનને પણ આ રિવ્યૂ વાંચ્યા પછી ખબર પડી!) કે આ બધા રિવ્યૂની સામગ્રી પરથી ’બે યાર’ની બીજી આઠ દસ રિમેક આરામથી બની જાય!”

“ઠીક છે ઠીક છે…તો પણ એક કટ્ટર ફેસબુકિયા તરીકે તું આ જવાબદારીમાંથી છટકી ના શકે, તારે પણ રિવ્યૂ લખવો જ પડશે, કોઇ બહાનું નહીં ચાલે!”

“ઝુકર પ્રભુ, અમે કાઠિયાવાડી, આમ કાંઇ લુખ્ખીથી ડરી ના જઈએ, લખું કે ના લખું એ મારી મરજી..આમ ધમકી ના આપો…ના લખ્યું તો શું કરી લેશો?”

“દુષ્ટ તારી આટલી બધી હિંમત કે મારી સામે થાય છે? હું તને નર્કમાં નાખીશ!”

“ખી...ખી…ખી…ખી…” મારાથી જોરથી હસી પડાયું!

“કેમ દાંત કાઢે છે? તને નર્કની બીક નથી લાગતી?”

“બીક? નર્કની બીક? ઝુકર પ્રભુ, મને તો શું કોઇ ભારતીયને નર્કની બીક ના લાગે! સવારે જાગે ત્યારથી જદ્દોજેહદમાં લાગી જતા,લોકલ ટ્રેનની ભીડમાં અથડાતા-કૂટાતા, સરકારી ઓફિસોમાં અધિકારીઓના હાથે હડધૂત થતા, રેશનની લાઇનોમાં થોડીક ખાંડ કે બે લિટર કેરોસીન માટે કલાકો સુધી તપ કરતા, મજબૂરીવશ સરકારી હોસ્પીટલોમાં સબડતા ને ગેસના એક વધારાના સિલીન્ડર માટે એજન્સીવાળાને લબડતા કોઇ પણ ભારતીયને તમે નર્કની બીક આપીને ડરાવી ના શકો!”

“મૂર્ખ…મારું નર્ક એનાથી પણ વધારે યાતનામય છે, મારા નર્કનું નામ પડે ત્યાં ભલભલા થથરી જાય છે, આતંકવાદીઓ પણ પોતાનું હથિયાર હેઠી મૂકીને શરણે આવી જાય છે!”

“પ્રભુ, એવું તે વળી શું છે આપના નર્કમાં?”

“ઠીક છે, તો હવે તને નર્કનો અનુભવ કરાવીજ દઉં…આજથી તને તારા ફેસબુકના મિત્રો દ્વારા રોજના ૧૫૦ લેખે પોસ્ટમાં ટેગ કરવામાં આવશે, રોજની તને કેન્ડીક્રશ સાગા રમવાનીની ઓછામાંઓછી ૭૫ રિકવેસ્ટ આવશે, રોજ તને ઓછાંમાં ઓછાં ૩૦ ગૃપમાં એડ કરવામાં આવશે……”

“નહીં પ્રભુ..નહીં…આવો જુલમ ના કરો…હું આપ કહો તે કરવા તૈયાર છું, આપ કહો તો નથી જોયાં એવા મૂવીના રિવ્યૂ પણ લખી નાખું, આપ કહો તો હજુ  નથી બન્યાં એવાં મૂવીનાં રિવ્યૂ પણ લખી નાખું…પણ આવી ભયાનક સજા ના કરો!”

ને મારી આંખ હવે ખરેખર ઊઘડી ગઈ, એટલો પરસેવો થયો હતો કે પથારી પણ ભીની (પરસેવાથી સ્તો વળી!) થઈ ગઈ હતી. આજુબાજું માં કોઇ નહોતું. હાશ…આ સપનું જ હતું, એક ભયાનક સપનું…પણ તોયે જોખમ ના લેવાય, હવે રિવ્યૂ તો લખવોજ પડશે, ’બે યાર’નો રિવ્યૂ ના લખ્યો ને રખે ઝુકર પ્રભુએ સપનામાં આપેલી ભયાનક અતિભયાનક ધમકી સાચી પડી ગઇ તો? આમાં જોખમ ના લેવાય બોસ!

તમારે ’બે યાર’નો એક વધુ રિવ્યૂ સહન કરવોજ રહ્યો…આવતી કાલે!
લખ્યા તારીખ ૨૩.૦૯.૨૦૧૪

રેશનાલિઝમ: વળી એક વધુ કટ્ટર સંપ્રદાય?

આશરે વીશેક વર્ષ પહેલાંની વાત છે. રાજકોટમાં રેશનાલિસ્ટોનું એક અધિવેશન યોજાયું છે. ગુજરાતભરમાંથી સારા સારા વિચારકો આવ્યા છે. સામાન્ય રીતે આપણે ત્યાં કોઇ પણ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટ્ય સાથે થતી હોય છે આ એક ઔપરાચિકતા છે, પણ આ તો રેશનાલિસ્ટોનો કાર્યક્રમ છે આમાં દીપ પ્રાગટ્ય કરાય? તો તો ઘોર અનર્થ થઈ જાય! એટલે પછી કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનોનું સ્વાગત એક ગુલાબનું ફૂલ આપીને કરવામાં આવે છે. શ્રોતાઓમાં બિરાજમાન કટ્ટર રેશનાલિસ્ટોમાં ચણભણ થાય છે, ’રેશનાલિઝમમાં ફૂલ આપીને સ્વાગત કરી શકાય ખરું?’

        કોઇ પણ કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનોનું સ્વાગત કરવું એ માત્ર સંસ્કૃતિ જ નહીં પણ ભાવના સાથે પણ જોડાયેલ છે. (આ સંસ્કૃતિ શબ્દ સામે વળી કોઇ રેશનાલિસ્ટને વાંધો નહીં પડે ને?) અને સામાન્ય રીતે પુષ્પનો હાર પહેરાવીને અથવા પુષ્પગુચ્છ આપીને તો અમુક જગ્યાએ સુતરની આંટી પહેરાવીને મહેમાનોનું સ્વાગત કરવાની પરંપરા છે. (’પરંપરા’! વધુ એક ઘોર અનર્થકારી શબ્દ! હે માં! (હે પ્રભુ તો ના બોલાય!) ડગલેને પગલે આવતી આ અડચણો વચ્ચે હું આ લેખ પૂરો કઈ રીતે કરીશ?) દીપ પ્રગટ્યમાંથી ધાર્મિકતાને થોડીવાર સાઇડમાં મૂકી દઈએ તો કોઇ પણ કાર્યક્રમની શરૂઆતમાં, (શારીરિક રીતે તો)  સભાખંડમાં બેઠેલા પણ શેરબજારથી માંડીને સંસદ ભવન સુધી ભટકતા આત્માઓને સભાખંડમાં પરત લાવીને એમનું ધ્યાન મંચ તરફ કેન્દ્રિત કરવું જરૂરી છે અને એના માટે કોઇક ઔપચારીક વિધી કરવી પડે તો પછી દીપ પ્રાકટ્ય શા માટે નહીં? દીવો હિન્દુ ધર્મ સાથે જોડાયેલ છે એટલા કારણથીજ અસ્પૃશ્ય થઈ જાય?

        Rational શબ્દનો અર્થ ગુજરાતી લેક્સિકોનમાં આ મુજબ છે, સમજશકિતવાળું, વિચાર શકિત ધરાવતું બુદ્ધિગમ્ય, બુદ્ધિશાળી, બુદ્ધિસંપન્ન, વિચારશકિતવાળું. સરસ વાત છે, જોવા જઈએ તો રેશનલ હોવું એ ખરેખર વ્યક્તિગત, સમાજ માટે અને કુટુંબ માટે બહુ સારી અને હિતકારી વાત છે. પણ જે હાલત આ રાજકારણીઓએ ભારતના સેક્યૂલારિઝમની કરી છે લગભગ એજ દશા રેશનાલિઝમની આજના બની બેઠેલા અધકચરા રેશનાલિસ્ટોએ કરી છે એવું કહેવામાં બિલકુલ અતિશયોક્તિ નથી. આજકાલના કહેવાતા રેશનાલિસ્ટો રેશનાલિઝમને માટીના પીંડાની જેમ કુંભારને ચાકડે ચડાવીને પછી પોતાને અનુકૂળ આવે એવા અર્થનો ઘાટ ઘડી નાખે છે! પૂજાપાઠ કે મંત્રતંત્ર અને અંધશ્રદ્ધા સામે રેશનાલિસ્ટોને વાંધો હોય એ સમજી શકાય છે પણ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં રેશનાલિઝમ ઉપર ક્યું આભ તૂટી પડતું હશે એ મને આજે પણ નથી સમજાયું! આ તો અદ્દલ પેલી વાત જેવું થયું કે નાની અમથી બાબતોને કારણે લોકોને લાગવા માંડે છે કે “ફલાણા ઢીકણા ધરમ ખતરે મેં હૈ…” એમ એક માસૂમ ફૂલને કારણે આખું રેશનાલિઝમ ખતરામાં પડી જાય!

        વીવેકપંથી નામનું સુંદર વિચાર પ્રેરક મેગેઝીન ચલાવતા ગુલાબભાઇ ભેડાએ રેશનાલિસ્ટનાં બત્રીસ લક્ષણો ગણાવ્યાં છે, એમાંનાં કેટલાંક જોઇએ તો..
  • જન્મથી જ જીવન શરૂ થાય છે અને મૃત્યુથી પૂર્ણ થાય છે; એની આગળ કે પાછળ કશુંજ નથી હોતું એવી દ્રઢ માન્યતા.
  • જીવન નિર્ભેળ, નિર્બંધ અને મુક્ત આનંદ માટેજ છે એવી સ્પષ્ટ અનુભૂતિ.
  • તારાઓ નક્ષત્રો, ગ્રહો વિશે કૂતુહલ, પણ માનવ પર એની અસર માનવાનો ઈન્કાર.
  • ચિંતનશીલ પણ ચિંતાઓથી દૂર.
  • વ્યક્તિ, વાત અને વસ્તુનું તટસ્થ રીતે વિવેકબુદ્ધિથી મૂલ્યાંકન કરી જાણે.
  • જિદી ખરો પણ જડ નહીં.
  • નિંદા અને ખુશામતથી પર.
  • પ્રતિસ્પર્ધી જરૂર બને પણ કોઇને પાડી દેવાની વૃતિ નહીં.
  • તાર્કિક દલિલો ભરપૂર કરે પણ વિતંડાવાદથી દૂર રહે.
  • કોઇ પણ સુધારો સ્વીકારવા તત્પર

વગેરે..વગેરે..

        આ બધી તો બહુ સરસ વાતો છે, એની સામે કોઇને વાંધો શા માટે હોઇ શકે? તો પછી રેશનાલિઝમ અને રેશનાલિસ્ટ આજે આટલા અળખામણા કેમ થયા છે? રેશનાલિઝમ જેવી સુંદર વિચારધારાને નૂકશાન કઈ કઈ બાબતોએ કર્યું છે એ સમજવાની કોશિશ કરીએ.

  • ટૂંકી દ્રષ્ટિ: રેશનાલિઝ્મ એટલે કે વિવેકબુદ્ધિવાદ, જ્યાં વિવેકબુદ્ધિથી વિચારવાની વાત હોય ત્યાં કદી ટૂંકી દ્રષ્ટિ સંભવે ખરી? આમ જોવા જઈએ તો બન્ને સામા છેડાની વાત છે, પણ આજકાલના રેશનાલિસ્ટોએ આ દિવસ અને રાતને ભેગા કરી દેવાનું શક્ય કરી દેખાડ્યું છે! કોઇ પણ સામાજિક કે રાજકિય ઘટના બને એટલે એના સંદર્ભે આવનારા વર્ષોમાં આવનારા એનાં પરિણામો અને સ્પર્શતાં અન્ય પરિમાણો અંગે જરીકે લાંબું વિચાર્યા સિવાય, ’ભમ’ દઈને પોતાનો કહેવાતો ’રેશનલ’ અભિપ્રાય ફેંકી દેવાનો! પોતાના પગના પંજાથી આગળનું જોવાનુંજ નહીં! આજકાલના સમયની વિંટબણા કહો તો વિટંબણા એ છે કે આજના સમયમાં આવી ઉલટીઓ કરવા માટે સોશ્યલ મીડિયા એ હાથવગું સાધન છે.
  • જડતા: વળી પાછો આ બીજો એવો શબ્દ છે રેશનાલિઝમમાં તદ્દન સામેના છેડે જ આવે, પણ આજકાલ પોતાને રેશનાલિસ્ટ તરીકે ઓળખાવતા લોકોમાં આ ભરપૂર જોવા મળે છે. સાચું રેશનાલિઝમ કદી ભૂલનો સ્વીકાર કરવામાં રોકતું નથી. ભૂલ કોઇનાથી પણ થઈ શકે છે. ઉતાવળે અભિપ્રાય અપાઈ જાય એવું બની શકે અને કોઇ ક્ષતિ તરફ આંગળી ચીંધે ત્યારે ભૂલ સુધારવામાં અને અફસોસ વ્યકત કરવામાં પાછો ના પડે એ સાચો રેશનાલિસ્ટ. પણ વો દિન કહાં?
  • અહંકાર: તર્કબદ્ધ ચર્ચા વિતંડાવાદમાં પરિણમવા પાછળનું કારણ મોટાભાગે ’તારા કરતાં હું વધારે જાણું છું’ એવો અહંકાર હોત છે. પરિણામે ચર્ચામાંથી તર્કની બાદબાકી થઈ જાય છે અને શરૂથાય છે ગાળાગાળી અને રચાય છે સામે વાળાને હલકો દેખાડવાની શાબ્દિક માયાજાળ! (અલબત્ત, એ વાત અલગ છે કે સામેવાળાને હલકો દેખાડવાની આ વૃત્તિ વ્યક્તિને ખુદને પતનની ગર્તામાં લઈ જાય છે.)
  • પૂર્વગ્રહિત માનસિકતા: સામાન્ય રીતે એવું જોવાઈ રહ્યું છે કે આજકાલ પોતાને રેશનાલિસ્ટ તરીકે ઓળખાવતા લોકો કોઇને કોઇ ગ્રંથિથી ગ્રસિત છે. અમુક લોકો જકડીને એવી ગાંઠ વાળીને બેઠા છે કે જે કાંઇ પરંપરાગત છે એ બધુંજ ખરાબ છે, તો અમુક લોકોની દ્રષ્ટિએ જે કાંઈ ભારતીય અને ભારતીય સંસ્કૃતિને લગતું છે એ માત્ર ઘેટાંઓને માટેજ છે! કેટલાક લોકો પોતાના રાજકિય પૂર્વગ્રહોને લઈને રેશનાલિઝમમાં ઘુસેલા છે, જેઓનું માનવું છેકે આજે દેશની એકતા અને અખંડિતતા સામે સૌથી મોટો ખતરો હિન્દુત્વવાદી કોમવાદનો છે! (રાહુલ ગાંધી આવું કહ્યાનું વિકિલિક્સે કદાચ ૨૦૧૧ કે ૨૦૧૨માં કહ્યું પણ આવું બેશર્મ અને નફ્ફટ સ્ટેટ્સમેન્ટ લલિત નગરશેઠ નામના એક ’મહાન’ રેશનાલિસ્ટનું છે જે ’વીવેકપંથી’ના વિશેષાંકમાં ૫૬મા પાને છપાયેલું છે!)
રેશનલ વ્યક્તિએ છે જે વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને વાતનું મૂલ્યાંકન કરે છે પણ અહીં તો એવું છે કે બોલનારનાં કપડાંનો રંગ જો અમુક તમુક હોય તો એની વાત ખોટી અને પરંપરાવાદી તથા અંધશ્રદ્ધા વધારનાર છે એવું આજના ધધૂપપૂ રેશનાલિસ્ટો પહેલેથીજ નક્કી કરી નાખે છે!

બીજી એક વિચિત્ર પ્રજાતિ રેશનાલિઝમમાં ઘુસેલી જોવા મળે છે જે રેશનાલિઝમના નામે વર્ણવ્યવસ્થાને કારણે સમાજના એક વર્ગને જે સહન કરવું પડ્યું છે એને યાદ કરી કરીને સતત સમાજના અમુક ચોક્કસ વર્ગને ઉદ્દેશીને ભાંડણલીલા ચલાવતા રહે છે, યાદ રહે, અત્રે એવું બિલકુલ પ્રસ્થાપિત કરવાનો ઈરાદો નથી કે વર્ણવ્યસ્થા બહુ સારી હતી કે કોઇને કશો અન્યાય થયો નથી, કહેવું માત્ર એટલું છે કે અહીં પણ અમુક લોકો વિવેકબુદ્ધિને અલવિદા કરી, માત્ર પૂર્વગ્રહિત માનસિકતા લઈનેજ બેઠા છે જે રેશનાલિઝમની ઘોર ખોદે છે!

ટૂંકમાં આજકાલ રેશનાલિઝમને નામે જે કાંઈ જોવા મળે છે એ જોતાં લાગે છે કે રેશનાલિઝમ નામના એક નવા કટ્ટર સંપ્રદાયનો ઉદય થયો છે. એવો કટ્ટર સંપ્રદાય કે જે પોતાના વિચારો રાખે અને કોઇ વિરોધ કરે તો એને મૂર્ખ, ઘેટાં, ગધેડા જેવા શબ્દો વડે અપમાનિત કરીને હડધૂત કરી કાઢવાના અને જે હઈશો હઈશોમાં જોડાઈ જાય એ બધા મહાજ્ઞાની! ટૂંકમાં કટ્ટર ધાર્મિક સંપ્રદાયોની જેમજ, પોતાના વાડામાં ઊંધું ઘાલીને હાજીહા કરવા વાળાં ઘેટાંઓ ભેગાં કરવાની વૃત્તિ. આ પ્રકારના રેશનાલિસ્ટો ચામાચીડિયાની જેમ ઝાડ પર ઊંધા લટકે અને પછી બૂમાબૂમ કરી મૂકે કે “જુઓ જુઓ…હું નહોતો કહેતો કે દુનિયા ઊંધી છે!”

ચુસ્ત હિન્દુ, ચુસ્ત મુસ્લીમ, ચુસ્ત સ્વામિનારાયણ, ચુસ્ત જૈન, ચુસ્ત વૈષ્ણવ ની જેમ હવે ચુસ્ત રેશનાલિસ્ટ શબ્દો સાંભળવા મળે તો નવાઈ નહીં લાગે….

ઊંબાડિયું:
સામાન્ય રીતે કોઇનું અવસાન થાય તો એને ’ફલાણા ઢીકણા સ્વર્ગસ્થ થયા છે’ એમ કહેવામાં આવે છે, પણ જો મરનાર ચુસ્ત રેશનાલિસ્ટ હોય તો શું કહેવાય?

’ફલાણા ઢીકણા તર્કસ્થ થયા છે!”

(નોધ: લખનાર પોતે રેશનાલિઝમને સારી રીતે સમજી ગયા  છે એવો અહીં કોઇ દાવો નથી, લેખક રેશનાલિઝમને સમજવાની કોશિશ કરે છે એમ કહી શકાય.)
લખ્યા તારીખ: ૨૬.૦૮.૨૦૧૪